GIDCના ચેરમેન પદેથી બળવંતસિંહ રાજપૂતનું પણ રાજીનામુ લેવાયું
આ અગાઉ જાન્યુઆરીમાં જ કેટલાક બોર્ડ નિગમના ચેરમેનોના રાજીનામાં પડી ગયા હતા. યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગના પંકજ ભટ્ટ , 20 મુદા કાર્યક્રમ અમલીકરણ સમિતિના આઈ કે જાડેજા. સહિતના રાજીનામાં બાદ, આજે ગુજરાત વિધાનસભામાં એક સમયે કોન્ગ્રેસના દંડક અને શંકરસિંહ વાઘેલાના વેવાઈ બળવંત સિંહ રાજપૂત, જેઓ GIDCનાં ચેરમેન હતા 50 મુદ્દા અમલીકરણ સમિતિમાં પણ રહેલા આઈ કે જાડેજા, સહીત પાંચ અધ્યક્ષોએ રાજીનામાં આપ્યા છે.
અલગ અલગ બોર્ડ અને નિગમોના 6 ચેરમેન અને 1 વાઇસ ચેરમેનનું રાજીનામુ લેવાયું
અસિત વોરા-GSSSB-ચેરમેન
આઇ.કે.જાડેજા- કાર્યવાહક અધ્યક્ષ- સ્વર્ણીમ ગુજરાત 50 મુદ્દા અમલીકરણ સમિતિ
બળવંતસિંહ રાજપૂત- GIDC- ચેરમેન
મુળુ બેરા- ચેરમેન- ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ
હંસરાજ ગજેરા- ચેરમેન- ગુજરાત બિન અનામત આયોગ
મધુ શ્રીવાસ્ત- ચેરમેન- ગુજરાત એગ્રો ઇન્ડ્રસ્ટ્રીઝ
રશ્મિકાંત પંડ્યા- ડેપ્યુટી ચેરમેન- ગુજરાત બિન અનામત વર્ગો
આઈ કે જાડેજા છેલ્લા 15 વર્ષથી હોદ્દા પર બિરાજિત હતા. બળવંત સિંહ રાજપૂત 2017માં રાજ્યસભાના ઉમેદવાર તરીકે ભાજપમાંથી ઉભા હતા. આ વખતે જ તેઓ વરસો જૂનો કોંગ્રેસ નો નાતો તોડી ઉમેદવાર બન્યા હતા. પરંતુ તેઓ ત્રીજા ઉમેદવાર ટીકે જીતી નહોતા શક્યા. પરિણામે તેમણે બોર્ડ નિગમથી સંતોષ માનવો પડ્યો હતો. હવે તેઓ GIDCમાંથી રાજીનામું આપી ચુક્યા છે.
બોર્ડ-નિગમમાં મોટા ફેરફારની અસર શું?
વિધાનસભાની ચૂંટણી અગાઉ પ્રદેશ ભાજપની કવાયત
પક્ષ કે સરકારમાં સમાવિષ્ટ ન હોય તેવા નેતાઓને તક અપાશે
નો રિપીટ થિયરી આધારિત નવી નિમણુંક થવાની પ્રબળ શક્યતા
સિનિયર નેતાઓને બોર્ડ નિગમમાં સમાવાની શક્યતાઓ
વિધાનસભાની ચૂંટણીના સમીકરણોને આધારે થઈ શકે છે નિયુક્તિ
નવા ચેરમેન અને વાઈસ ચેરમેનને કામના ટાર્ગેટ અપાશે
નિયુક્તિમાં નવી સરકારનું પર્ફોમન્સ બતાવવાનો પણ પ્રયાસ