જેજે હોસ્પિટલમાં મુંબઇમાં રેસિડેન્ટ ડોક્ટરો સાથે થયેલી મારપીટની ઘટનાની અસર સોમવારે ત્રીજા દિવસે પણ જોવા મળી. હોસ્પિટલના 400થી વધારે રેસિડેન્ટ ડોક્ટર સામૂહિક રજા પર રહ્યા. એનાથી હોસ્પિટલસ આવનાર દર્દીઓને પરેશાનીઓનો સામનો કરવો પડ્યો.
હોસ્પિટલથી મળેલી જાણકારી અનુસાર રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા કામ ન કરવાથી હોસ્પિટલની ઓપીડીની સાથે જ ઓપરેશનને પણ અસર પહોંચી. મામલાનો ઉકેલ લાવવા સ્વાસ્થ્ય શિક્ષા મંત્રી ગિરીશ મહાજને રસિડેન્ટ ડોક્ટરોની સાથે બેઠક કરી. તેમ છતાં ડોક્ટરો કામ પર આવ્યા નહી.
અહીંયા સામાન્ય દિવસોમાં ઓપીડીમાં સારવાર માટે આવનારા દર્દીઓની સંખ્યા 3000 હોય છે જે સોમવારે 1909 રહી સર્જરીની સંખ્યામાં પણ કમી આવી.