કોરોના મહામારીની વચ્ચે દેશ 72મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે ત્યારે આ વર્ષે 55 વર્ષ બાદ પહેલીવાર એવું બનશે કે કોઈ મુખ્ય અતિથિ નહીં હોય અને ફક્ત 25000 લોકોમાં જ પરેડ થશે.
દેશનો 72મો ગણતંત્ર દિવસ
55 વર્ષ બાદ પહેલીવાર એવું બનશે કે કોઈ મુખ્ય અતિથિ નહીં હોય
કોરોનાના કારણે ફક્ત 25000 લોકોમાં જ પરેડ થશે
કોરોના વાયરસના કારણે આ વર્ષે ગણતંત્ર દિવસે મુખ્ય અતિથિના રૂપમાં કોઈ વિદેશી રાષ્ટ્ર પ્રમુખ કે સરકારના મુખિયાને આમંત્રિત કરાયા નથી. આ પહેલાં ભારતમાં 1952, 1953 અને 1966માં ગણતંત્ર દિવસની પરેડમાં પણ મુખ્ય અતિથિ ન હતા.
આઝાદી બાદના શરૂઆતના સમયમાં ભારતમાં ભવ્ય ગણતંત્ર દિવસની પરેડ માટે એક સ્થાન નક્કી ન હતું. ગણતંત્ર પરેડ લાલ કિલ્લા, રામ લીલા મેદાન, કિંગ્સવે અને ઈરવિન સ્ટેડિયમ જેવા અનેક સ્થાનોએ યોજાતી. પરંતુ 1955માં પરેડનું સ્થળ નક્કી કરાયું અને તેને રાજપથ પર યોજવામાં આવી.
ભારતની પરંપરા અનુસાર રહે છે મુખ્ય અતિથિની હાજરી
જે પરંપરા ભારતમાં વર્ષોથી ચાલી રહી છે તેમાં ગણતંત્ર દિવસે પરેડ માટે મુખ્ય અતિથિની હાજરી રહી છે. ભારતે અનેક પાડોશી દેશના અને રાષ્ટ્રોના નેતાઓને આમંત્રિત કર્યા છે. એટલું નહીં પાકિસ્તાનના પણ 2 અતિથિઓ આવી ચૂક્યા છે.
આ અતિથિઓ થઈ ચૂક્યા છે સામેલ
પાકિસ્તાનના ગર્વનર જનરલ મલિક ગુલામ મોહમ્મદ પહેલા મુખ્ય અતિથિ હતા જેઓ રાજપથ પર આવ્યા હતા. ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવની વચ્ચે પણ તેઓ ગણતંત્ર દિવસની પરેડમાં હાજર રહ્યા હતા.
ભારત અને ચીનની વચ્ચેના તણાવની સાથે માર્શલ યે જિયાનયિંગને 1958માં મુખ્ય અતિથિના રૂપમાં આમંત્રિત કરાયા. આ આમંત્રણ બાદ પીએમ જવાહરલાલ નહેરુ બંને દેશો વચ્ચે શાંતિની આશા રાખી રહ્યા હતા.
1959માં ફરી એક વાર કોઈ અતિથિ ન હતા અને 1960માં રશિયાની તરફથી મુખ્ય અતિથિના રૂપમાં રાષ્ટ્રપતિ ક્લિંમેટ વોરોશિલોવને ગણતંત્ર દિવસની 10મી વર્ષગાંઠ પર આમંત્રિત કરાયા હતા. તેઓ પ્રમુખ સોવિયત સૈન્યના અધિકારી અને રાષ્ટ્રપતિ હતા.
1961માં ગણતંત્ર દિવસની પરેડમાં બ્રિટનની મહારાણી એલિઝાબેથને આમંત્રિત કરાયા હતા.
1962માં ભારત પાક યુદ્ધના કારણે કોઈ મુખ્ય અતિથિ ન હતું પણ 1963માં પહેલીવાર કંબોડિયાને આમંત્રિત કરાયું અને રાજા નોરોડોમ સિહાનોક મુખ્ય અતિથિ રહયા.
1965માં પાકિસ્તાન ફરીથી અતિથિના રૂપમાં આવ્યું અને અહીંના ખાદ્ય અને કૃષિ મંત્રી રાણા અબ્દુલ હામીદ મુખ્ય અતિથિ બન્યા.
1968માં ગણતંત્ર દિવસની પરેડ માટે ભારતે સોવિયેત સંધના રાષ્ટ્રપતિ એલેક્સેઈ કોશ્યગિન અને યૂગોસ્લાવિયાના રાષ્ટ્રપતિ જોસિપ બ્રોઝ ટીટોને આમંત્રિત કર્યા.
1969માં પહેલી અને છેલ્લી વાર ભારત પરેડમાં સામેલ થયું આ સમયે બુલ્ગારિયાના પીએમ ટોડ ઝિવકોવ મુખ્ય અતિથિ બન્યા હતા.
1971માં કોઈ દેશને આમંત્રિત કરાયો નહીં. પરેડમા 9મા અતિથિ રૂપે તંજાનિયાના રાષ્ટ્રપતિ જૂલિયસ ન્યેરેને આમંત્રિત કરાયા હતા.
1972માં મોરેશસના પીએમ શિવસાગર રામગુલામ મુખ્ય અતિથિના રૂપમાં હાજર રહ્યા હતા. આ સિવાય 1990 અને 2002માં પણ 2 વાર ફરીથી તેમને આમંત્રિત કરાયા હતા.