હવામાન વિભાગ દ્વારા નવી આગાહી કરાઇ હતી. જેમાં સૌરાષ્ટ્રમાં તાપમાન 1 ડિગ્રી વધી શકે તો 24 કલાક દરમિયાન ઠંડીનો અનુભવ થાય તેવું જણાવાયું છે.
આગામી પાંચ દિવસને લઇ હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં ફેરફાર નહીં થાય
સૌરાષ્ટ્રમાં તાપમાન 1 ડિગ્રી વધી શકે તેવી શકયતા
ડિપ્રેશન અને લો પ્રેશરની અસરને પગલે રાજ્યના 70 જેટલા સ્થળોએ કમોસમી વરસાદ ત્રાટક્યો હતો. ત્યારબાદ હવે માવઠાની સિસ્ટમ હટતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગ દ્વારા નવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસને લઇને આગાહી કરાઈ છે.
ત્રણ દિવસ બાદ રાજ્યમાં 2-3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે
હવમાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે આગામી ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થાય તેવી વકી જોવા મળતી નથી. વધુમાં સૌરાષ્ટ્રના તાપમાનમાં 1 ડિગ્રીની વધઘટ વર્તાઈ શકે છે. સાથે જ ત્રણ દિવસ બાદ રાજ્યમાં 2-3 ડિગ્રી તાપમાનમાં વધારો આવી શકે છેમ આથી 3 દિવસ બાદ ઠંડીમાંથી રાહત થઈ શકે તેવી હવામાન વિભાગ દ્વારા સત્તાવાર રીતે માહિતી આપવામાં આવી છે. વધુમાં આગામી 24 કલાક દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ઠંડીનો અનુભવ થઇ શકે તેમ છે.
બે દિવસ અગાઉ 29 તાલુકામાં સર્જાઈ હતી માવઠાની મોકાણ
ઉલ્લેખનિય છે કે રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને પગલે બે દિવસ અગાઉ રાજ્યના 29 તાલુકામાં માવઠાની મોકાણ સર્જાઈ હતી. બે દિવસના સમયગાળા દરમિયાન ક્યાંક કમોસમી વરસાદ તો ક્યાંક કરા પડ્યા હતા. જોકે રાજ્યમાં સૌથી વધુ વરસાદ વડગામ પંથકમાં 1 ઈંચ નોંધાયો છે. મહત્વનું છે કે, ઉત્તરના બનાસકાંઠા વિસ્તારમાં માવઠાની સાથે અંબાજીમાં મોડી સાંજે કરા સાથે વરસાદ પડ્યો હતો.