રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ અને નાયરા એનર્જીએ પેટ્રોલિયમ મંત્રાલય સાથે વાત કરી છે. એમને કહ્યું કે અમને પણ મળવી જોઇએ ઘરેલૂ બજારમાં સબ્સિડી ગેસ સિલિન્ડર વેચવાની અનુમતિ. આયાત પર લાગનારો 5 ટકાની આયાત ફી પર પણ છૂટ માંગી છે.
ભારતમાં કુલ 2 કરોડ ટન ઘરેલૂ ગેસનું વાર્ષિક સેલનો કેટલોક ભાગ લેવા માટે મુકેશ અંહાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સહિત કેટલીક કંપનીઓ પ્રયાસ કરી રહી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડથી વધારે નાયરા એનર્જી એન્ડ ટોટલે પણ સરકાર પાસેથી ઑયલ માર્કેટિંગ કંપનીઓની જેમ જ એલપીજી ગેસ વેચવાની મંજૂરી માંગી છે. તાજેતરમાં આ કંપનીઓએ પેટ્રોલિયમ એન્ડ ગેસ મંત્રાલયને આ માટે વાત પણ કરી છે.
હાલ ગ્રાહક આ કંપનીઓને એક સિલિન્ડરની પૂરી રકમ આપે છે, બાદમાં તેઓ આ ગ્રાહકોના ખાતામાં સબ્સિડીનો ભાગ ટ્રાન્સફર કરવામાં આવે છે. ઘરેલૂ એલપીજી ઉત્પાદન કંપનીઓ પણ માત્ર ઓઇલ કંપનીને જ સપ્લાઇ આપે છે. ગત નાણાંકીય વર્ષમાં ભારતની ઘરેલૂ કંપનીઓએ પોતાની એલપીજી ઉત્પાદન ક્ષમતાને પ્રોત્સાહન આપ્યું છે. નાણાંકીય વર્ષ 2019 દરમિયાન કુલ જરૂરિયાતના માત્ર 52 ટકા એલપીજીની જ આયાત કરવામાં આવી છે.
RILની રિલાયન્સ ગેસ અને સુપરગેસ એલપીજી સિલિન્ડર્સ વેચે તો છે, પરંતુ એમને સબ્સિડી વાળા ગ્રાહકોને સિલેન્ડર્સ વેચવાની અનુમતિ નથી. સાથે જ એમને બંને કંપનીઓનો બજાર ખૂબ નાનું છે. વર્ષ 2015માં જ આરઆઇએલને 10 હજાર ટન પ્રતિ માસની એલપીજી વેચવાની અનુમતિ મળી હતી.