દેશમાં વધી રહેલા કોરોનાના કેસને પગલે ગત 24 કલાકમાં એટલે કે શુક્રવારે 1340 મોત થયા છે.
આ સ્થિતિ જણાવી રહી છે રેકોર્ડ મોતનો અંદાજો
24 કલાકમાં એટલે કે શુક્રવારે 1340 મોત થયા
57 ટકા લોકો ઘરમાં કેદ છે
આ સ્થિતિ જણાવી રહી છે રેકોર્ડ મોતનો અંદાજો
રેકોર્ડ મોતનો અંદાજો આ સ્થિતિ જણાવી રહી છે કે શ્મશાન ઘાટો પર મૃતહેદોના અંતિમ સંસ્કાર માટે લોકો કલાકો લાઈનમાં રાહ જોઈ રહ્યા છે. તો હોસ્પિટલોમાં દર્દીઓની લાઈનો લાગી છે. એક તરફ દેશમાં કેસની સખ્યા વધી રહી છે તો દેશની અડધી વસ્તી પોતાના ઘરમાં કેદ છે.
57 ટકા લોકો ઘરમાં કેદ છે.
શુક્રવારે 2,33,869 નવા મામલા સામે આવ્યા છે. આ સ્થિતિને જોતા દેશના અનેક રાજ્યો પીછે હટ કરવા મજબૂર થયા છે. 15 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ રાતના સમયે અથવા વીકએન્ડ કર્ફ્યી લગાવવા મજબૂર થયા છે. સ્થિતિ એ છે કે અલગ અલગ પ્રતિબંધોના કારણે દેશની અડધી આબાદી એટલે કે 57 ટકા લોકો ઘરમાં કેદ છે.
સૌથી વધારે મોત 15 સપ્ટેમ્બરના રોજ દાખલ થયા હતા
શુક્રવારની પહેલા છેલ્લે ભારતમાં એક દિવસમાં સૌથી વધારે મોત 15 સપ્ટેમ્બરના રોજ દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે 1284 લોકોએ જીવ ગુમાવ્યા હતા. એક વિશ્લેષણ અનુસાર 2 દિવસમાં દેશભરમાં 700 મિલિયનથી વધારે લોકોને મર્યાદિત સમય સુધી કર્ફ્યૂનો સામનો કરવો પડશે.
પહેલી લહેરના પીક સમયે પણ આટલા કેસ નહોંતા આવતા
ઉલ્લેખનીય છે કે 16 એપ્રિલથી દર રોજ 1, 88, 400નવા મામલા નોંધાયા છે. કોરોનાની પહેલી લહેરના પીક સમયે પણ આટલા કેસ નહોંતા આવતા . 16 સપ્ટેમ્બર 2020માં જ્યારે કોરોના પીક પર હતો ત્યારે 93, 617 કેસ આવ્યા હતા. અ વર્ષે બે ગણી સ્પીડથી કેસ આવી રહ્યા છે.
ક્યાંક નાઈટ કર્ફ્યૂ તો ક્યાંક લોકડાઉન
છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છો. મહારાષ્ટ્રમાં 15 દિવસ માટે લોકડાઉન છે. છત્તીસગઢમાં 20 જિલ્લા અને મધ્ય પ્રદેશમાં 15 જિલ્લામાં લોકડાઉનની જાહેરાત થઈ ચૂકી છે. દિલ્હી, ચંદીગઢ, રાજસ્થાન અને ઓડિસામાં 10 જિલ્લાના શહેર વિસ્તારમાં વીકેન્ડો લોકડાઉન છે. યુપીમાં રવિવાકે રાજ્ય વ્યાપી કર્ફ્યૂ છે. 6 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો જેમાં પંજાબ, હરિયાણા, દિલ્હી , ઉત્તરાખંડ , બિહાર અને ચંદીગઢની સાથે દેશમાં સેંકડો જિલ્લામાં અલગ અલગ રીતે લોકડાઉન જાહેર થયું છે. તેમજ કર્ણાટક, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત, જમ્મુ અને કાશ્મીર તથા ઓડિશાાં નાઈટ કર્ફ્યુ છે.