બોલિવૂડમાં ડ્રગ્સને લઈને ચાલી રહેલો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. આ સાથે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં બે ભાગમાં જોવા મળી રહી છે. ત્યારે આ વિવાદમાં ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ પણ કૂદી ગયો છે. તેણે સોશિયલ મીડિયા પર ડ્રગ્સ મુદ્દે પોતાના વિચાર વ્યક્ત કર્યા છે. જે બાદ તેણે એક ઇન્ટરવ્યૂ દરમિયાન અભિનેતાથી સાંસદ બનેલા રવિ કિશન પર નિશાન સાધ્યું છે. અનુરાગ કશ્યપે રવિ કિશન પર ગાંજો લેવાનો આરોપ લગાવ્યો હતો. હવે અનુરાગના આ નિવેદન પર રવિ કિશનએ પ્રતિક્રિયા આપતા જડબાતોડ જવાબ આપ્યો છે.
બોલિવૂડમાં ડ્રગ્સને લઈને ચાલી રહેલો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે
આ વિવાદમાં ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ પણ કૂદી ગયો છે
ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથેની વાતચીત દરમિયાન રવિ કિશને અનુરાગ કશ્યપને જવાબ આપ્યો છે. તેણે કહ્યું- મને અનુરાગ કશ્યપ તરફથી આવા શબ્દોની અપેક્ષા નહોતી. આ વાત કોઈથી છુપાયેલી નથી કે હું શિવ ભક્ત છું અને તેથી જ હું તેમના નામનો જાપ કરું છું. મને ખૂબ દુઃખ છે કે તેઓ ડ્રગ્સ વિરુદ્ધની જંગ મુદ્દે મારો સપોર્ટ નથી કરી રહ્યા. તેઓ કહેતા હોય છે કે હું ધૂમ્રપાન કરું છું અને હવે હું ક્લિન છું કારણ કે હું પ્રધાન છું, જે હું નથી. '
I didn't expect such words from Anurag Kashyap. It's no secret I am a devotee of Shiva so I chant his name. I'm saddened he would not support me on this issue of the war on drugs & say that I smoked up & am now clean just because I'm a minister, which I'm not: Ravi Kishan, BJP MP pic.twitter.com/6v9vxj9Fdc
તમને જણાવી દઇએ કે લોકસભામાં બોલતી વખતે રવિ કિશને સુશાંત સિંહ રાજપૂત કેસમાં એનસીબીની કાર્યવાહી અને ડ્રગ્સના કેસમાં રિયા ચક્રવર્તી સહિત ઘણાં લોકોની ધરપકડની પ્રશંસા કરી હતી. તેણે કહ્યું હતું કે- આપણે જાણીએ છીએ કે ડ્રગની દાણચોરી અને ડ્રગ્સની લત વધતી દઈ રહી છે. આ કાવતરામાં આપણાં પડોશી દેશ પણ સામેલ છે. ડ્રગ્સ ચીન અને પાકિસ્તાનથી આવે છે. આપણી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પણ આનાથી ગ્રસ્ત છે. સરકારે પડોશી દેશોના કાવતરાને રોકવું જોઈએ.
અનુરાગ કશ્યપે એમ પણ કહ્યું હતું કે તેઓ સ્મોકિંગ અપ માટે રવિ કિશનને જજ કરશે નહીં. અનુરાગ કશ્યપે ફાય ડિસુઝા સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે, રવિ કિશનના આ મામલાના સ્ટેન્ડને કારણે તેમને ગુસ્સો આવ્યો છે. તેણે કહ્યું- 'રવિ કિશને મારી પાછલી ફિલ્મ મુક્કાબાઝમાં કામ કર્યું હતું. તેઓ તેમના દિવસની શરૂઆત જય શિવ શંકર, જય બમ ભોલે, જય શિવ શંભુ કહીને કરે છે. તેમના જીવનના લાંબા સમય સુધી, તે એક એવા વ્યક્તિ રહ્યા છે કે જેણે બીડનું સેવન કર્યું છે. આ જીવન છે, દરેક આ જાણે છે. હવે જ્યારે તેઓ મંત્રી બન્યા છે, તો ક્લિન રહેવા માટે તેમણે આ બધું છોડી દીધું હશે.