સરકાર દ્વારા ગરીબોને અપાતું સસ્તું અનાજ ખાડ, દાળ બારાેબાર ફ્લોર ફેક્ટરીના માલિકોને વેચી દેવાના કૌભાંડનો પર્દાફાશ ગાંધીનગર એલસીબી (લોકલ ક્રાઇમ બ્રાંચ)એ કરતાં ચકચાર મચી ગઇ છે. અમદાવાદની રેશિનંગની દુકાનમાં આપવામાં આવતું અનાજ ગાંધીનગર જિલ્લાના લીંબિડયા ગામની સીમમાં ઠલવાતું હતું.
લીંબડિયા ગામના ગોડાઉનમાંથી લાખો રૂપિયાનો જથ્થો ઝડપાયો
સરકારી કર્મચારીઓની સંડોવણીની પણ આશંકા
પોલીસે રેશનિંગનો પુરવઠો સગેવગે કરતા બે શખસોને રંગે હાથ ઝડપી લીધા
જેને એલસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યું છે. ગરીબોને મળતી કિંમતનું અનાજ ફેક્ટરીઓમાં દસ ગણા ભાવે વેચી દેવાના આ મોટા કૌભાંડમાં સરકારી બાબુઓની સંડોવણી હોય તે વાત નકારી શકાય તેમ નથી.
લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ એચ.પી. ઝાલા અને તેમની ટીમને બાતમી મળી હતી કે ગાંધીનગર જિલ્લાના ડભોડા નજીક આવેલા લીંબિડયા ગામની સીમમાં આવેલા એક ગોડાઉનમાં સરકારના માર્કાવાળા કોથળામાં રહેલાં ઘઉંં, ચોખા, ખાંડ તથા ચણાદાળને અન્ય થેલામાં ભરી બારાેબાર વેચી દેવામાં આવી રહ્યાં છે.
બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા, જેમાં કેટલાક લોકો એફસીઆઇના માર્કાવાળા કોથળામાંથી અનાજ કાઢીને અન્ય થેલામાં ભરી રહ્યા હતા. પોલીસને જોતાંની સાથે ગોડાઉનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસે ગોડાઉનમાંથી રાજેશભાઇ ટાંક (રહે. ભગવતીનગર, એરપોર્ટ રોડ, નોબલનગર) અને રાજેન્દ્રભાઇ પરમાર (રહે. અસારવા)ની ધરપકડ કરી છે.
પોલીસે ૯૭પ૦ કિલો ચોખા, ૪૬૦ કિલો ચણાદાળ, ૪૩૪પ૦ કિલો ઘઉં, રપ૦ કિલો ખાંડ તેમજ એક બોલેરો કાર જપ્ત કરી છે. જે કોથળામાંથી અનાજ મળ્યું છે તેના પર ગવર્નમેન્ટ ઓફ હરિયાણા, ગવર્નમેન્ટ ઓફ પંજાબ, ભારતીય ખાદ્ય નિગમના માર્કાવાળું તથા મઢી વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી તેમજ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના માર્કાવાળું લખાણ છે. લોકલ ક્રાઇમ બ્રાંચે ૧૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને અન્ન અને નાગિરક પુરવઠા વિભાગના મામલતદારને જાણ કરી છે. હજુ સુધી આ કેસમાં મામલતદારે એલસીબીમાં કોઇ ફરિયાદ નોંધાવી નથી, જ્યારે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે.
અમદાવાદમાં સસ્તા અનાજની ૯૦૦ કરતાં વધુ દુકાન આવેલી છે, જેમાં રેશનિંગ કાર્ડધારકોને સરકારે નક્કી કરેલા રૂપિયા પ્રમાણે અનાજ આપવામાં આવે છે. ગરીબોને બે રૂપિયામાં કિલો ઘઉં, ત્રણ રૂપિયામાં કિલો ચોખા, ૪ર રૂપિયામાં કિલો ચણાદાળ તેમજ રર.પ૦ રૂપિયામાં કિલો ખાંડ આપે છે. અમદાવાદની તમામ રેશનિંગની દુકાન પર શાહીબાગ ખાતે આવેલ ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાય કોર્પોરેશન લિમિટેડ (સસ્તા અનાજનું ગોડાઉન)માંથી અનાજ જાય છે, જેનો કોન્ટ્રાક્ટ ડોર ટુ સ્ટેપ નામની કંપનીને મળ્યો છે.
સસ્તા અનાજના ગોડાઉનમાંથી નીકળેલ અનાજ લીંબિડયા ગામની સીમના ગોડાઉનમાં કેવી રીતે પહોંચ્યું તે તપાસનો વિષય છે. અનાજ સપ્લાય કરનાર કોન્ટ્રાક્ટર તેમજ ફ્લોર ફેક્ટરીના માલિક અને રેશિનંગની દુકાન ધરાવતા લોકોનાં એકબીજા સાથે સેટિંગગ હોય છે, જેના કારણે આ કૌભાંડ ચાલે છે. ઉદાહરણ તરીકે કોઇ રેશિનંગની દુકાનમાં ૧૦૦ બોરી ઘઉંં આવ્યા હોય તો તે ઘઉંંની ૬૦ જેટલી બોરી ગરીબોને આપતાે હોય છે, બાકી ૪૦ બોરી સિવિલ સપ્લાયના કોન્ટ્રાક્ટરને આપી દેતો હોય છે, જેને તે ફ્લોર ફકટરીઓના માલિકને દસ ગણા ભાવે વેચી દેતો હોય છે.
કરોડોના કૌભાંડમાં જો યોગ્ય રીતે તપાસ કરવામાં આવે તો ઘણા સરકારી બાબુઓનાં નામ પણ સામે આવે તેવી શક્યતા છે. બે રૂપિયામાં કિલો ગરીબોને અપાતા ઘઉં દુકાનદાર ૧પ રૂપિયામાં કિલોના ભાવે કોન્ટ્રાક્ટરને આપે છે અને કોન્ટ્રાક્ટર પોતાના પાંચ રૂપિયા કમિશન ચઢાવીને ર૦ રૂપિયાના ભાવે ફ્લોર ફેકટરીના માલિકને આપી દેતા હોય છે.
આ કૌભાંડ આજકાલથી નહી, પરંતુ વર્ષોથી ચાલી રહ્યું છે, જેના પર હજુ સુધી કોઇ રોક લગાવી શક્યું નથી. હજારો કિલો ગરીબોને મળતું અનાજ બારોબાર વેચી મારવામાં આવે છે, જેના કારણે કોન્ટ્રાક્ટરથી લઇ ફ્લોર ફેક્ટરીના માલિક અને સસ્તા અનાજની દુકાન ધરાવતા લોકો કરોડપિત બની ગયા છે.