ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણી દ્વારા મહિલાને મારમારવાના મામલે હવે રાજકારણ ગરમાયું છે. એનસીપી નેતા રેશમા પટેલે ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, આ ભાજપ ધારાસભ્ય થાવાણીની દાદાગીરી નથી આ નામર્દાનગીનું એક ઉદાહરણ છે. ભાજપે આવા લોકોને પાર્ટીમાંથી બરતરફ કરવા જોઇએ. ભાજપ માત્ર નારી સન્માન અને સશક્તિકરણની વાતો કરે છે પરંતુ હકીકત અલગ જ છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 3, 2019
અમદાવાદના નરોડામાં બલરામ થાવાણી દ્વારા મહિલાને માર મારવા મામલે હવે રાજ્ય મહિલા આયોગ હરકતમાં આવ્યું છે અને મહિલાને માર મારવા મામલે અમદાવાદ પોલીસ કમિશનર પાસે રિપોર્ટ માગ્યો છે. આ મામલે મહિલા આયોગે સુઓ મોટો દાખલ કરી છે. પોલીસે ફરિયાદ ન નોંધતા મહિલા આયોગે સુઓમોટો દાખલ કરવી પડી છે.
મહત્વનું છે કે ધારાસભ્ય બલરામ થાવાણીને પાણી મામલે રજૂઆત કરવા ગયેલી મહિલાને જાહેરમાં માર માર્યો હતો.જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને થાવાણી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ ઉઠી રહી છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 3, 2019
અમદાવાદના નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણીએ મહિલાને માર મારતા વિવાદ થયો છે. આ મામલે ધારાસભ્ય બલરામ થાવાણીને ગાંધીનગર ભાજપ કાર્યાલય કમલમમાં બોલાવવામાં આવ્યા છે.મહિલા પર અત્યાચાર મામલે થાવાણીને કમલમમાં બોલાવવામાં આવ્યા છે.આ દરમિયાન થાવાણી પર કાર્યવાહી કરવી કે કેમ તે અંગે પણ ચર્ચા થશે.
રાજકારણ ગરમાયું
નરોડાના ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીએ મહિલાને માર મારતા વિવાદ થયો છે. ધારાસભ્યે મહિલાને જાહેરમાં માર મારતા સ્થાનિક રાજકારણ ગરમાયુ છે. ત્યારે હવે કોંગ્રેસ અને NCPએ માર મારવાના વીડિયોને મુદ્દો બનાવ્યો છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 3, 2019
કોંગ્રેસ અને NCPએ ધારાસભ્ય બલરામ થાવાણી સામે કાર્યવાહીની કરવાની માગ પણ કરી છે. આ ઘટના બાદ પ્રદેશ ભાજપ પણ હરકતમાં આવ્યુ છે.પ્રદેશ ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આ ઘટના બાદ પ્રદેશ અધ્યક્ષે થાવાણીને માફી માગવાનો આદેશ કર્યો હતો.
હવે શું?
સિંધી સમાજના આગેવાન પણ છે બલરામ થાવાણી
સિંધી સમાજની મહિલા પર જ ધારાસભ્યે કર્યો હુમલો
ધારાસભ્યના સમાજની મહિલાઓ પણ નથી સુરક્ષિત?
સિંધી સમાજનું આ પ્રકારના નેતાઓ ભલુ કરશે?
શું સરદાનગરમાં બુટલેગરો સાથે થાવાણીની મિલીભગત છે?
સમાજના આવાજને કેમ થાવાણી દબાવવા માગે છે?
શું સમાજ દ્વારા થાવાણીનો બહિષ્કાર કરવામાં આવશે?
વેપારી સમાજ આ પ્રકારના બદમાશ નેતાઓને કેમ છાવરે છે?
આ પ્રકારના નેતાઓ કેવી રીતે સમાજનું ભલુ કરશે?
પ્રજાના સેવક તરીકે ચૂંટાયેલા આ ધારાસભ્ય શું સેવા કરશે?
પોતાના જ સમાજની સમસ્યા ન ઉકેલનારાને ફરી જનતા સ્વીકારશે?