સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરશે, ત્યારે શનિ સાથેનો યુતિ સમાપ્ત થશે અને ગુરુ સાથેના જોડાણથી ઘણી રાશિઓને લાભ થશે. જ્યોતિષી અનુસાર કઈ રાશિને આ યુતિથી ફાયદો થશે ચાલો જાણીએ..
સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે
સૂર્યના ગુરુ સાથેના જોડાણથી ઘણી રાશિઓને લાભ થશે
આ રાશિઓ માટે શુભ રહેશે સૂર્ય ગોચર
માર્ચ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને આપણે બધા જણી છીએ કે થોડા ગ્રહો દર વર્ષે રાશિ પરિવર્તન કરે છે. એવામાં તમને જણાવી દઈએ કે 15 માર્ચ 2023ના રોજ સૂર્ય શનિની રાશિ એટલે કે કુંભ રાશિમાંથી નીકળીને મીનમાં પ્રવેશ કરશે. સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે તેને સંક્રમણ કર્યું કહેવાય છે.
15 માર્ચે સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરશે એ સાથે જ સૂર્ય-શનિની એક અલગ યુતિ પણ બની હતી જે 15 માર્ચે ગોચર પછી સમાપ્ત થશે. જ્યારે સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરશે, ત્યારે શનિ સાથેનો યુતિ સમાપ્ત થશે અને ગુરુ સાથેના જોડાણથી ઘણી રાશિઓને લાભ થશે. જણાવી દઈએ કે આ યુતિ ઘણી રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થશે. જ્યોતિષી અનુસાર કઈ રાશિને આ યુતિથી ફાયદો થશે ચાલો જાણીએ..
આ રાશિઓ માટે શુભ રહેશે સૂર્ય ગોચર
વૃષભ રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મીન રાશિમાં સૂર્યનું આ ગોચર વૃષભ રાશિના લોકો માટે વિશેષરૂપે લાભદાયી રહેશે. આ સમયગાળા દરમિયાન કારકિર્દીમાં ઘણી સફળતા મળશે. સાથે જ નોકરીયાત લોકોને પગારમાં અચાનક ફાયદો થશે. મીન રાશિમાં સૂર્યનું આ ગોચરથી વૃષભ રાશિના લોકોની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે.
મિથુન રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મિથુન રાશિ માટે સૂર્યનું ગોચર ખૂબ જ શુભ અને ફળદાયી રહેશે. સાથે જ આ રાશિના દરેક કામમાં ભાગ્યનો સાથ મળશે. જ્યોતિષશાસ્ત્ર અણસાર જે કામમાં આ રાશિના લોકો હાથ લગાવશે તેમાં તેમને સફળતા મળશે. જ્યોતિષી અનુસાર આ રાશિના લોકોની વિદેશ પ્રવાસની શક્યતાઓ બની રહી છે. એટલું જ નહીં આ સમય દરમિયાન ઘરમાં કોઈ ધાર્મિક કે શુભ કાર્યક્રમ થઈ શકે છે.
કર્ક રાશિ
આ રાશિના જાતકો માટે સૂર્ય અને ગુરુનો સંયોગ ભાગ્યશાળી સાબિત થશે. સાથે જ કોઈપણ જૂનું રોકાણ આ રાશિના લોકો માટે ફાયદાકારક નીવડશે. જ્યોતિષી અનુસાર આ રાશિના લોકોની કમાણીમાં પણ વધારો થશે અને કરિયરમાં આગળ વધવાની ઘણી તકો મળશે.