આ વાતની જાણકારી રણવીર સિંહે ઇન્સ્ટાગ્રામ પર પોતે જ આપી છે. હાલમાં જ શંકરે રણવીરની ખુલ્લેઆમ પ્રશંસા કરી હતી અને કહ્યું હતુ કે તેમને અન્નિયનની રિમેક માટે આવા જ કોઇ શોમેનની જરૂર હતી. તે એક ઉમદા કલાકાર છે, જેણે સાબિત કર્યુ છે કે એક્ટિંગથી કોઇ પણ ચરિત્રને યાદગાર બનાવી શકાય છે. તેણે કહ્યું કે હું પેન ઇન્ડિયાના દર્શકો માટે અન્નિયન બનાવવા માટે એક્સાઇટેડ છું અને મને વિશ્વાસ છે કે આ દમદાર સ્ટોરી બધાના દિલ સુધી પહોંચશે.
તમને જણાવી દઇએ કે 2005માં રિલીઝ થયેલી ફિલ્મ અન્નિયન બોક્સ ઓફિસ પર ધમાલ કરી ગઇ હતી. તેનુ હિન્દી ડબ વર્ઝન અપરિચિત ટીવી પર બતાવવામાં આવતી સૌથી લોકપ્રિય ફિલ્મોમાંથી એક છે. ફિલ્મમાં એક યુવક છે જેને મલ્ટીપલ ડિસઓર્ડર છે. આ સાઇકોલોજીકલ થ્રિલર મૂવીમાં રણવીરને જોવો ખુબ રસપ્રદ લાગશે.
આ હિન્દી રિમેક આપો આપ ધમાકેદાર થઇ ગઇ જ્યારે તેની સાથે રણવીરનુ નામ જોડાયુ. રણવીરનું કોઇ પણ ફિલ્મમાં હોવુ તે ફિલ્મ હિટ થવાની ગેરંટી છે. બાજીરાવ મસ્તાની, ગલી બોય, પદ્માવત, સિમ્બા અને રામલીલા જેવી ફિલ્મોમાં પોતાનુ હુનર પાથરી ચૂકેલા રણવીર ડાયરેક્ટર શંકર સાથે પહેલીવાર કામ કરી રહ્યો છે.
ડાયરેક્ટર શંકરની પહેલી રિમેક હતી વિજય ઇલિયાના સ્ટારર નાનબન. આ ફિલ્મ રાજ કુમાર હિરાનીની ફિલ્મ 3 ઇડિયટ્સની રિમેક હતી જેમાં આમિર ખાન અને કરીના કપૂર હતા.
શું કહ્યું રણવીર સિંહ માટે ભૂમિએ
નેહાએ ભૂમિને સવાલ પૂછ્યો કે, સેક્સ ઉપચાર ડૉક્ટર તરીકે કોઇનું નામ આપો ત્યારે ભૂમિએ રણવીર સિંહનું નામ આપ્યું હતું. તેણે કહ્યું હતુ કે રણવીર પાસે શ્રેષ્ઠ તરકીબો છે.
તેણે વધુમાં, બેન્ડ બાજા બારાતમાં રણવીર સિંહના ઓડિશન વિશે પણ વાત કરી હતી. આયુષ્માન ખુરાના સાથે ફિલ્મ દમ લગા કે હૈસાથી પહેલા ભૂમિએ કાસ્ટિંગ ડાયરેક્ટર તરીકે કામ કર્યુ છે. તેમણે કહ્યું કે તે ઓડિશન દરમિયાન તે સામેલ હતી અને તે યુટ્યુબ પર હાજર છે.
ભૂમિએ રણવીરની એનર્જીની ખુબ જ તારીફ કરી હતી. કહ્યું કે તેની એનર્જી જબરજસ્ત છે. તેણે કાસ્ટિંગ ડિરેક્ટર શાનૂ પાસેથી જેટલુ સાંભળ્યુ હતુ તેનાથી વધારે ફિટ સાબિત થયા.
ભૂમિ પોતાની અપકમિંગ ફિલ્મ દુર્ગાવતીમાં એક IASની ભૂમિકા ભજવવાની છે. આ ફિલ્મ હોરર થ્રિલરની રિમેક છે.