ટ્રેલર આવ્યા બાદ ઘણા યુઝર્સે સોશિયલ મીડિયા પર એક સીનને લઈને આપત્તિ વ્યક્ત કરી છે. આ સીનમાં રણબીર કપૂરને જૂતા પહેરીને મંદિરનો ઘંટ વગાડતા દર્શાવવામાં આવ્યો છે. હવે તેના પર અયાન મુખર્જીએ સ્પષ્ટતા આપી છે.
મંદિરમાં જૂતા પહેરીને રણબીરની એન્ટ્રી?
અયાન મુખર્જીએ કરી સ્પષ્ટતા
જણાવી ટ્રેલરના સીનની હકીકત
ફિલ્મ બ્રહ્માસ્ત્રના ટ્રેલરની રાહ ફેન્સ લાંબા સમયથી કરી રહ્યા હતા. ટ્રેલરમાં ખૂબ જ શાનદાર VFXની સાથે સાથે એક એવો પણ સીન જોવા મળ્યો જેનાથી દર્શકોનિ નિરાશા મળી. ટ્રેલર આવ્યા બાદ ઘણા યુઝર્સે સોશિયલ મીડિયા પર એક સીન પર આપત્તિ વ્યક્ત કરી છે. આ સીનમાં રણબીર કપૂરને જૂતા પહેરીને મંદિરનો ઘંટ વગાડતા જોઈ શકાય છે.
યુઝર્સે તેને લઈને રણબીરને ટ્રોલ કરી દીધો છે. યુઝર્સનું કહેવું છે કે તેનાથી ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે. એટલું જ નહીં ટ્રોલર્સે તો #boycottbrahmastra ટ્રેન્ડ કરવાનું શરૂ થઈ ગયું હતું. હવે બ્રહ્માસ્ત્રાન ડાયરેક્ટર અયાન મુખર્જીએ આ સીનને લઈને સ્પષ્ટતા કરી છે.
અયાને જણાવી સીનની હકીકત
અયાન મુખર્જીએ એક નિવેદન જાહેર કર્યું છે. તેણે કહ્યું કે રણબીર કપૂર ટ્રેલરમાં જ્યાં ગયા છે. તે મંદિર નથી પરંતુ દુર્ગા પુજાનું પંડાલ છે. અયાને જણાવ્યું કે, "અમે અમુક લોકો પાસેથી જાણ્યું કે અમારા ટ્રેલરમાં રણબીરના જૂતા પહેરીને ઘંટ વગાડવાના સીનથી નારાજ છે. ફિલ્મના નિર્દેશકના રૂપમાં જે થઈ રહ્યું છે તેના વિશે વિનમ્રતાપૂર્વક વાત કરવા માંગુ છું. અમારી ફિલ્મમાં રણબીર મંદિરમાં નહીં પરંતુ દુર્ગા પૂજાના પંડાલમાં પ્રવેશ કરી રહ્યો છે. મારો પરિવાર આ પ્રકારના દુર્ગા પૂજા સમારોહનું આયોજન પાછલા 75 વર્ષોથી કરી રહ્યો છે. જેનો હું બાળપણથી ભાગ રહ્યો છું."
અયાન મુખર્જીએ લખ્યું, "મારો જે અનુભવ છે, અમે સ્ટેજ પર દેવીના આગળ જતા પહેલા જૂતા ઉતારીએ છીએ. પંડાલમાં પ્રવેશ કરતા જ નહીં. મારા માટે એ વાત મહત્વપૂર્ણ છે કે હું એ વ્યક્તિ સુધી પહોંચી શકૂ જે આ તસ્વીરથી દુખી છે. કારણ કે આ બધા ઉપર બ્રહ્માસ્ત્ર એક ફિલ્મ છે જે ભારતીય સંસ્કૃતિ, પરંપરાઓ અને ઈતિહાસનું સન્માન કરે છે અને તેમનું સેલિબ્રેશન કરે છે. આજ કારણ છે કે મેં આ ફિલ્મ બનાવી છે. મારા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આ ભાવના દરેક ભારતીય સુધી પહોંચે જે બ્રહ્માસ્ત્ર જોઈ રહી છે."
ધર્મા પ્રોડક્શન્સના બેનર હેઠળ બનેલી ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં રણબીર કપૂરની સાથે આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, નાગાર્જુન અને મોની રોય મુખ્ય ભુમિકામાં છે.