રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન 14 એપ્રિલના રોજ થયા હતા. બંનેને તેમના લગ્ન માટે ફેન્સ અને સેલેબ્સ તરફથી અભિનંદન મળી રહ્યા છે. હવે આલિયાના ભાઈ રાહુલ ભટ્ટે કપલના લગ્નને લઈને એક રસપ્રદ ખુલાસો કર્યો છે.
રણબીર આલિયાએ નથી લીધા સાત ફેરા
તેમના નજીકના મિત્રએ કહી આ વાત
જાણો રણબીર-આલિયાએ કઈ પરંપરા તોડી
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ગુરુવારે એકબીજાના થઈ ગયા છે. 5 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંને પતિ-પત્ની બની ગયા છે. આ કપલના લગ્નની તસવીરો અને વીડિયો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યા છે. હવે સમાચાર આવી રહ્યા છે કે રણબીર અને આલિયાએ લગ્ન દરમિયાન 7 ફેરા લીધા નથી.
રાહુલે લગ્ન વિશે કહી આ વાત
આલિયાના ભાઈ રાહુલ ભટ્ટે આલિયા અને રણબીરના લગ્ન વિશે એક રસપ્રદ વાત કહી છે. તેણે કહ્યું કે આલિયા અને રણબીરે લગ્ન દરમિયાન માત્ર 4 ફેરા લીધા હતા. એક રિપોર્ટ મુજબ રાહુલ ભટ્ટે જણાવ્યું કે આલિયા અને રણબીરે તેમના ખાસ પંડિતની હાજરીમાં ચાર ફેરા લીધા. તેણે પંડિતના કહેવા પર કપલે આમ કરવા પાછળનું કારણ પણ જણાવ્યું છે.
કપલે ચાર ફેરા સાથે કર્યા લગ્ન
રાહુલે કહ્યું કે તેમના એક ખાસ પંડિત આવ્યા હતા. જે છેલ્લા ચાર વર્ષથી કપૂર પરિવારના પંડિત છે. તેમણે દરેક ફેરાનું મહત્વ સમજાવ્યું. પહેલો ફેરો ધર્મ માટે છે અને બીજો બાળકો માટે. આ બધું હકીકતમાં ખૂબ અલગ જ હતું. હું એવા ઘરમાંથી આવું છું જ્યાં અનેક ધર્મના લોકો રહે છે. લગ્નમાં 7 ફેરા લેવાયા ન હતા પણ 4 ફેરા લેવાયા અને ચારેયે ફેરા વખતે હું ત્યાં જ હતો.