બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / મનોરંજન / બોલિવૂડ / Rana Daggubati can't see with one eye, now makes a shocking revelation about kidney transplant
Megha
Last Updated: 12:10 PM, 17 March 2023
એસએસ રાજામૌલીની બ્લોકબસ્ટર ફિલ્મ 'બાહુબલી'માં ભલ્લાલદેવનો રોલ કરીને પોતાની ઓળખ બનાવનાર સાઉથ એક્ટર રાણા દગ્ગુબતી આ દિવસોમાં પોતાની પહેલી વેબ સિરીઝ 'રાણા નાયડુ' માટે ચર્ચામાં છે. રાણા દગ્ગુબતી ની વેબ સિરીઝ 'રાણા નાયડુ' નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી છે. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન અભિનેતાએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ફિલ્મ 'બાહુબલી'માં ભલ્લાલદેવની ભૂમિકા ભજવીને દર્શકોનું ધ્યાન ખેંચનાર રાણા એક આંખે જોઈ શકતો નથી.
#RanaNaidu is trending globally among top 10 trending Non English shows. Woohoo!@NetflixIndia #RanaNaiduOnNetflix @RanaDaggubati @VenkyMama #siddharthkannan #sidk pic.twitter.com/SpqM3fyhn4
— Siddharth Kannan (@sidkannan) March 15, 2023
રાણા દગ્ગુબતીએ તેના કોર્નિયા અને કિડની ટ્રાન્સપ્લાન્ટ વિશે ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું કે તે તેની જમણી આંખમાં જોઈ શકતો નથી અને તેણે આંશિક અંધત્વનો સામનો કેવી રીતે કર્યો તે પણ જણાવ્યું હતું. નોંધનિય છે કે એમને 2016માં આપેલા ઈન્ટરવ્યુમાં પહેલીવાર આ વાતનો ખુલાસો કર્યો હતો અને હવે અભિનેતાએ તેને સાર્વજનિક પ્લેટફોર્મ પર શેર કરવા પાછળનું કારણ જણાવ્યું છે.
કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ કર્યું, મારુ કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું
2016માં એક ચેટ શો દરમિયાન તેણે પોતાની આંખની સ્થિતિ વિશે ખુલાસો કરતાં કહ્યું હતું કે, 'મારી જમણી આંખ કામ કરતી નથી, હું માત્ર ડાબી આંખથી જ જોઈ શકું છું. મારી જમણી આંખ બીજા કોઈની છે, એક વ્યક્તિએ તેના મૃત્યુ બાદ મને તેની આંખ દાન કરી હતી પણ અત્યારે એ જો હું મારી ડાબી આંખ બંધ કરું તો હું કંઈ જોઈ શકતો નથી. તેથી હું અલગ રીતે ઓપરેટ કરું છું. ઘણા લોકો શારીરિક સમસ્યાને કારણે તૂટી જાય છે અને જો તે ઠીક થઈ જાય તો પણ ભારેપણું રહે છે. મેં કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું, મારુ કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું હતું એટલે ક્યારેક એવું લાગે કે હું ટર્મિનેટર છું. ત્યારે હું વિચારતો કે 'ચાલો હું હજી જીવતો છું તો બસ ચાલવાનું છે.'
2016માં આ કારણે કર્યો હતો ખુલાસો
2016 માં રાણા દગ્ગુબતીએ આંશિક રીતે અંધ હોવા વિશે ખુલાસો કર્યો હતો. તે જમણી આંખે જોઈ શકતો નથી. રાણાએ તેની વેબ સિરીઝના પ્રમોશન દરમિયાન આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું, 'મને લાગે છે કે હું એવા કેટલાક લોકોમાંથી એક છું જેમણે કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ વિશે વાત કરી હતી. એ એટલા માટે મેં કર્યું હતું કે એ સમયે એક બાળક હતું જેની માતાએ તેની આંખ ગુમાવી દીધી હતી અને તે તેના માટે ખૂબ જ દુઃખી હતો. એ સમયે મેં તેને કહ્યું કે દરેક વસ્તુની એક પદ્ધતિ હોય છે અને પછી મેં મારી આંખ વિશે કહ્યું. હું મારી જમણી આંખથી જોઈ શકતો નથી, તેથી હું અલગ દ્રષ્ટિકોણથી કામ કરું છું.'
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા