રશિયાનાં યુક્રેન પર હુમલા બાદ યુક્રેનમાં ઘણા દેશોમાંથી મદદ આવી રહી છે. ભારતમાંથી પણ ઘણી મદદ કરવામાં આવી છે ત્યારે હવે Morari Bapu દ્વારા કરુણાવાન હાથ લાંબો કરવામાં આવ્યો છે.
યુક્રેન રશિયા યુદ્ધનાં કારણે જાનમાલનું મોટું નુકસાન
રામકથાકાર મોરારી બાપુ કરશે યુક્રેનને મદદ
1.25 કરોડ રૂપિયા દાન આપશે
રશિયાનાં યુક્રેન પર હુમલા બાદ ચાલી રહેલી જંગના કારણે યુક્રેન પાયમાલી તરફ આગળ વધી રહ્યું છે ત્યારે દુનિયાભરમાંથી તેની માટે મદદ આવી રહી છે. હવે ભારતમાંથી પણ મદદ મોકલવામાં આવી રહી છે ત્યારે પ્રસિદ્ધ રામકથાકાર મોરારી બાપુ દ્વારા યુક્રેનને મદદ કરવા માટે હાથ લાંબો કરવામાં આવ્યો હોવાની માહિતી મળી છે.
યુક્રેનમાં રશિયાનાં હુમલા બાદ લાખો લોકો હતપ્રભ થયા છે.જેમાં યુક્રેનના નાગરીકો સાથે અન્ય દેશના લોકો પણ રહે છે. તમામ લોકો પોતાના જીવ બચાવવા સુરક્ષિત જગ્યાઓ શોધી રહ્યા છે. આ વચ્ચે રાજધાની કીવમાં આવેલી એક ભારતીય રેસ્ટોરંટ એ ઉમદા કાર્ય ની શરૂઆત કરતા પોતાના રેસ્ટોરંટને લોકોના આશ્રય સ્થાન માટે ખુલ્લું મૂકી દીધું છે .જ્યાં લોકોના ભોજન સાથે રહેવાની પણ વ્યવસ્થા કરી છે. અને હવે રામ કથાકાર મોરારી બાપુએ પણ મદદ માટે હાથ લંબાવ્યો છે.
1.25 કરોડ રૂપિયાનું મસમોટું દાન
મોરારી બાપુનાં ટ્રસ્ટ દ્વારા 19 કરોડ રૂપિયાની રકમ ભેગી કરવામાં આવી હતી. જેનું પ્રયોજન અયોધ્યામાં રામ મંદિર બનાવવાનું હતું. જેમાંથી 9 કરોડ રૂપિયા વિદેશના ભક્તો અને પરોપકારી લોકો દ્વારા દાન કરવામાં આવ્યા હતા. જો કે તે નવ કરોડ રૂપિયા હજુ ભારત મોકલાયા નથી અને પ્રોસેસમાં હોવાની માહિતી મ;ઇ છે પણ તેમાંથી 1.25 કરોડ રૂપિયા હવે યુદ્ધ પ્રભાવિત વિસ્તારમાં લોકોની મદદ અર્થે વાપરવામાં આવશે.
પોલેન્ડમાં ભારતીયોની મદદ માટે ગૃહાંગ પટેલ નામનો યુવાન આગળ આવ્યો છે. આ સમાચાર પણ વાયરલ થઈ ગયા હતા. યુદ્ધના કારણે મોટાભાગના વિદ્યાર્થીઓની હાલત કફોડી થઈ ચુકી છે. અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતા અર્જુન પરમાર નામના યુવાન સાથે પણ 12 જેટલા ગુજરાતી વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. જેમણે વરસાદ વચ્ચે રસ્તા પર રાત પસાર કરવી પડી હતી.
ગૃહાંગ આવ્યો મદદે
ગૃહાંગ પટેલે કહ્યું કે, હું પોલેન્ડમાં રહું છું. વોર્સો સિટીમાં રહું છું. જે કોઈ ભારતીયો ફસાયા હોય અને તેઓ પોલેન્ડ આવ્યા હોય તો અવશ્ય મારો સંપર્ક કરી શકે છે. સોમવારે યુક્રેન પોલેન્ડ બોર્ડર ખોલી દેવામાં આવી હતી. જેમાં યુવતીઓને અંદર જવા માટે પ્રાથમિકતા આપવામાં આવી છે. ઉત્તર ગુજરાતની 60 જેટલી વિદ્યાર્થીનીઓ પોલેન્ડ પહોંચી ગઈ હોવાના વાવડ મળ્યા છે.
અગાઉ Iskon ને પણ કરી હતી મદદ
યુક્રેનમાં ફસાયેલા નાગરિકોને ઇસ્કોન મંદિરમાં આશરો અપાઈ રહ્યો હોવાની માહિતી સામે આવી છે. હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે તણાવની સ્થિતિ છે,નાગરીકો ભયભીત છે ત્યારે હજારો ગુજરાતીઓ પણ યુક્રેનમાં વસવાટ કરી રહ્યા છે. ત્યારે તેઓ માટે પણ અત્યારની સ્થિતિમાં રાહતના મોટા સમાચાર છે. યુક્રેનમાં લગભગ 54 જેટલા ઇસ્કોન મંદિર છે.