લોકડાઉનમાં રામાનંદ સાગરની રામાયણ દર્શકોનો ફેવરિટ શો બની ગયો છે. સીરિયલમાં હાલ રાવણનો વધ થઈ ગયો છે. રામ-સીતા અને લક્ષ્મણ અયોધ્યા પાછાં આવી ચૂક્યાં છે, પરંતુ શોનો ક્લાઈમેક્સ જોઈને લોકોને નિરાશા થઈ છે. સોશિયલ મીડિયા પર દૂરદર્શનના પ્રોડ્યૂસર્સને ક્લાઈમેક્સ સીન એડિટ કરવા બદલ ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે.
લોકડાઉનમાં રામાયણ દર્શકો વચ્ચે છવાઈ ગઈ
ત્યારે શોના ક્લાઈમેક્સ સાથે છેડછાડ કરવા બદલ ફેન્સ નારાજ
લોકોનું માનવું છે કે, રામાયણના વધ દરમિયાન ઘણાં સીન્સ એડિટ કરવામાં આવ્યા છે. ટ્વિટર પર લોકો પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યાં છે. રામ અને રાવણની વચ્ચે યુદ્ધના ઘણાં અલ્ટીમેટ સીન્સને એડિટ કરવાથી ફેન્સ નારાજ થયા છે. એક યુઝરે ઘણાં બધાં ટ્વિટ કરીને જણાવ્યું કે, લક્ષ્મણ અને ઉર્મિલાના રિ-યૂનિયન વિશે ઉલ્લેખ કરાયો નથી. મેકર્સથી લોકોએ રામાયણનો અનકટ વર્ઝન દેખાડવાની પણ અપીલ કરી છે. તમને જણાવી દઈએ કે, આ શો દિવસમાં બેવાર ઓનએર થાય છે.
Request fans of Ramayan to tweet #RestoreRamayan at the actors, @DDNational & Sagars so that we can finally get the full version of this masterpiece and Shri Krishna from the original telecast. #RamanandSagar ‘s artistry deserves better. #RamayanOnDDNational
@DDNational In Ramayan number of seen cutted ,where Ram and Laxman kidnapped by Ahiravan in patallok. This seen not shown,Hanuman son makardawaj also not shown
એક યુઝરે લખ્યું-રામાયણના ઘણાં સીન્સ દેખાડવામાં નથી આવ્યા, જેથી હું ખૂબ જ નિરાશ છું. બીજા યુઝરે લખ્યું, એક સીનમાં ભગવાન હનુમાને પોતાની છાતી ચીરીને તેમાં સિયા રામની તસવીર દેખાડી હતી, એ સીન પણ ગાયબ છે. જ્યારે એકે લખ્યું-ડીડી નેશનલે રામાયણના ઘણાં સીન કાપી નાખ્યા છે. એક સીનમાં રામ-લક્ષ્મણને પાતાલલોકમાં અહિરાવણે કિડનેપ કરી લીધો હતો. આ સીન પણ દેખાડવામાં નથી આવ્યો. હનુમાનનો દિકરો મકરદ્વજ પણ દેખાડવામાં આવ્યો નથી.
લોકોનું કહેવું છે કે, રામાનંદ સાગરની રામાયણ અને શ્રી કૃષ્ણા આર્ટવર્ક છે. જેથી આ સીરિયલ્સને કોઈ જ છેડછાડ વિના દેખાડવી જોઈએ. લક્ષ્મણ અને ઉર્મિલાના 14 વર્ષ પછી મિલનના સીનને પણ દેખાડ્યો ન હોવાથી ફેન્સ નિરાશ થયા છે. શોના કરંટ ટ્રેકની વાત કરીએ તો હવે ઉત્તર રામાયણ શરૂ થઈ ગઈ છે. શોમાં ટૂંક સમયમાં જ લવ-કુશની વાપસી થશે. ફેન્સ ઉત્તર રામાયણને જોવા માટે પણ ઘણાં જ એક્સાઈટેડ છે.