રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધીને લાંબી ઉંમરની કામના કરે છે. પરંતુ આપણા દેશમાં એક એવુ રાજ્ય છે, જ્યાં એક જિલ્લાની બહેનો તેના ભાઈને દર વર્ષે મરવાનો શ્રાપ આપે છે.
અહીં બહેનો તેના ભાઈને દર વર્ષે મરવાનો શ્રાપ આપે છે
ભાઈદૂજના દિવસે તેના ભાઈઓને અપશબ્દો કહે છે
આ પરંપરા પાછળ પૌરાણિક માન્યતા છે જવાબદાર
અહીં રક્ષાબંધનની ગજબ પરંપરા નિભાવાય છે
શ્રાવણ મહિનાની પૂનમે બહેનો તેના ભાઈના કાંડા પર રાખડી બાંધીને રક્ષાબંધનનો તહેવાર મનાવે છે. બદલામાં ભાઈ તેની બહેનને આખુ જીવન રક્ષા કરવાનુ વચન આપે છે. ભાઈ-બહેનના પ્રેમને સમર્પિત આ પર્વ અત્યંત પવિત્ર માનવામાં આવે છે. પરંતુ આપણા દેશમાં એક એવુ રાજ્ય છે, જ્યાં રક્ષાબંધનની એક ગજબ પરંપરા નિભાવવામાં આવે છે. અહીં બહેનો તેના ભાઈને દર વર્ષે મરવાનો શ્રાપ આપે છે.
દર વર્ષે ભાઈને આપે છે મરવાનો શ્રાપ
છત્તીસગઢના જશપુર જિલ્લાના એક સમુદાયમાં રક્ષાબંધનને લઇને ગજબ પરંપરા નિભાવવામાં આવે છે. અહીં બહેનો રક્ષાબંધન બાદ મનાવવામાં આવતા ભાઈદૂજના દિવસે તેના ભાઈઓને અપશબ્દો કહે છે, તેને ખોટુ બોલે છે અને મરવાનો શ્રાપ પણ આપે છે. જો કે, ત્યારબાદ તે પ્રાયશ્ચિત તરીકે પોતાની જાતને દુ:ખ પણ આપે છે. શ્રાપ આપ્યાં બાદ બહેન પોતાની જીભમાં કાંટો નાખે છે અને પછી તેના ભાઈને તિલક લગાવીને ખુશ રહેવા અને લાંબુ આયુષ્ય રહેવાનો આશીર્વાદ આપે છે.
પરંપરા પાછળ છે આ કારણ
આ ગજબ પરંપરા પાછળ એક પૌરાણિક માન્યતા છે કે એક વખત યમરાજ એવા કોઈ માણસના પ્રાણ લેવા ધરતી પર આવ્યા હતા. જેની બહેને તેના ભાઈને ક્યારેય ખોટુ ના કહ્યુ હોય. ત્યારે તેની જાણ એક બહેનને થઇ જાય છે અને તે તેના ભાઈને અપશબ્દો કહેવા લાગે છે અને શ્રાપ આપે છે. આ જોઇને યમરાજ પાછા જતા રહે છે ત્યારથી અહીં બહેનો પહેલા ભાઈને શ્રાપ આપવાની પરંપરા નિભાવે છે અને પછી તેનો પ્રાયશ્ચિત કરીને ભાઈને ખૂબ આશીર્વાદ આપે છે.