કૃષિ કાયદા રદ્દ થયા હોવા છતાં હવે નવા આંદોલનની તૈયારી થઈ રહી હોય તેવા સંકેત મળી રહ્યા છે.
દેશમાં વધુ એક આંદોલનનાં એંધાણ
રાકેશ ટિકૈતે બૅન્કો મુદ્દે આંદોલન કરવા કહ્યું
કૃષિ કાયદા રદ્દ છતાં દિલ્હી બોર્ડર પર ખેડૂતોનો જમાવડો
રાકેશ ટિકૈત ફરી આકરા પાણીએ
બૅન્ક પ્રાઇવેટાઈઝેશનનાં મુદ્દે રાકેશ ટિકૈતે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે, કૃષિ કાયદા રદ્દ થયા બાદ હવે આંદોલન ચલાવવા માટે નવો મુદ્દો મળી ગયો છે. ટિકૈતે ટ્વિટ કરીને સંકેત આપ્યા છે કે સરકારી બૅન્કોને પ્રાઇવેટ કરવાનો સરકારનાં નિર્ણય સામે હવે આંદોલન કરવામાં આવશે.
हमने आंदोलन की शुरुआत में आगाह किया था कि अगला नंबर बैंकों का होगा। नतीजा देखिए, 6 दिसंबर को संसद में सरकारी बैंकों के निजीकरण का बिल पेश होने जा रहा है। निजीकरण के खिलाफ देशभर में साझा आंदोलन की जरूरत है । #StopPrivatization
આંદોલનનું થયું એલાન
શનિવારે મોડી રાતે તેમણે ટ્વિટ કરીને કહ્યું કે અમે આંદોલનની શરૂઆત કરી, હવે બૅન્કોનો વારો આવશે. પરિણામ જોઈ લેજો. 6 ડિસેમ્બરે સંસદમાં સરકારી બૅન્કોને પ્રાઇવેટ કરવાનો બિલ રજૂ થવાનો છે ત્યારે દેશભરમાં આંદોલનની જરૂર છે.
બૅન્કિંગ બિલ લાવી શકે છે મોદી સરકાર
નોંધનીય છે કે સંસદનાં શિયાળુ સત્રમાં મોદી સરકારનાં ઘણા બધા બિલ લાવી રહી છે ત્યારે બૅન્કિંગ કાયદાઓને લઈને કોઈ બિલ રજૂ થાય તેવી શક્યતા છે ત્યારે ખેડૂત આંદોલનની વચ્ચે વધુ એક આંદોલનને લઈને એલાન કરવામાં આવ્યું છે.
હજુ દિલ્હીની બોર્ડર પર બેઠા છે ખેડૂતો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવેમ્બર મહિનામાં મોટું એલાન કરતાં કહ્યું કે સરકાર ખેડૂતો સામે ઝૂકી રહી છે અને કૃષિ કાયદા રદ્દ કરવામાં આવે છે. સંસદનાં શિયાળુ સત્રમાં આ કાયદા રદ્દ પણ થઈ ગયા. જોકે તેમ છતાં ખેડૂતોનું આંદોલન હજુ સુધી સમાપ્ત થયું નથી. MSP મુદ્દે પણ કમિટી બનાવી દેવામાં આવી છે ત્યારે ખેડૂત નેતા કહી રહ્યા છે કે આંદોલન હજુ ચાલુ જ રહેશે. ખેડૂત સંગઠનની કમિટીનાં મનોજ સિંહ સિક્કા, યુદ્ધવિર સિંહ અને બળવીર સિંહ સમેત નેતાઓ કહી રહ્યા છે કે જૉ સરકાર વાત માની લે તો અમે ત્રણ જ કલાકમાં આંદોલન સમાપ્ત કરી દઇશું. આ ત્રણ નેતાઓ ખેડૂત તરફથી સરકાર સાથે વાતચીતમાં સામેલ થવાના છે.