રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસની રિસોર્ટ પોલિટિક્સ શરૂ થઇ ચૂકી છે. કોરોનાને લઇને મૂલતવી રાખવામાં આવેલી રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર થતા જ ગુજરાતના રાજકારણમાં ઉથલપાથલ શરૂ થઇ ગઇ છે. ત્યારે છેલ્લા 2 દિવસમાં કોંગ્રેસના 3 ધારાસભ્યોએ રાજીનામા ધરી દીધા છે. ત્યારે વધુ કોંગ્રેસના ધારાસભ્ય ન તૂટે તે માટે નવી રણનીતિ ઘડી છે.
રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસની રિસોર્ટ પોલિટિક્સ
ઝોન પ્રમાણે ધારાસભ્યને લઇ જવાશે અલગ અલગ
કોંગ્રેસના 8 ધારાસભ્યોને બોલાવાયા પાલનપુર
ગુજરાત રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસનું રિસોર્ટ પોલિટિક્સ શરૂ થયું છે. ચૂંટણી પહેલા કોંગ્રેસને પોતાના ધારાસભ્યો તૂટવાનો ડર સતાવી રહ્યો છે. કોંગ્રેસને પોતાના ધારાસભ્યો પર જ વિશ્વાસ ન હોત તેમ એક બાદ એક ધારાસભ્યોને રિસોર્ટમાં પહોંચાડાઇ રહ્યાં છે. કોંગ્રેસને સૌરાષ્ટ્રના ધારાસભ્યો તૂટવાનો પણ ડર લાગી રહ્યો છે.
મધ્ય ગુજરાતના ધારાસભ્યોને આણંદના રિસોર્ટમાં રખાયા
શુક્રવારે મધ્ય ગુજરાતના ધારાસભ્યોને આણંદ નજીક ઉમેટાના અરાઇસ રિવર સાઇડ રિસોર્ટ ફાર્મ હાઉસમાં બોલાવવામાં આવ્યા છે. જેમાં અંદાજે 15થી વધારે ધારાસભ્યો ફાર્મ હાઉસમાં ભેગા થયા છે. કોંગ્રેસના ઉમેદાવાદ ભરતસિંહની ધારાસભ્ય વચ્ચે હાજરી સૂચક છે. રાજ્યસભાની ચૂંટણી મુદ્દે ફાર્મ હાઉસમાં રણનીતિ ઘડાશે. રાજ્યસભામાં કોંગ્રેસના બીજા ઉમેદવાર ભરતસિંહ છે.
સૌરાષ્ટ્રના ધારાસભ્યનો રાજકોટના રિસોર્ટમાં રખાશે
જેને લઇને હવે સૌરાષ્ટ્ર કોંગ્રેસના ધારાસભ્યોને પણ રાજકોટ ખાતે લવાશે. રાજકોટના નિલસીટી રિસોર્ટ પર સૌરાષ્ટ્રના તમામ ધારાસભ્યોને રાખવામાં આવશે. રાત સુધીમાં તમામ ધારાસભ્યો નિલસીટી રિસોર્ટ પહોંચે તેવી શક્યતા છે. મહત્વનું છે કે સૌરાષ્ટ્ર કોંગ્રેસના જે ધારાસભ્યોને નિલસીટી રિસોર્ટમાં લઇ જવાના છે તે પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂનું રિસોર્ટ છે.
કોંગ્રેસે પોતાના 16 ધારાસભ્યોને મહેસાણા બોલાવ્યા છે. મહેસાણામાં આ તમામ ધારાસભ્યોને એકસાથે રાખવામાં આવશે. જ્યારે અમદાવાદ અને સુરેન્દ્રનગરના ધારાસભ્યોને તાત્કાલિક અમદાવાદ પહોંચવા સૂચના આપી દેવામાં આવી છે.
તો કોંગ્રેસના 8 ધારાસભ્યોને પાલનપુર બોલાવવામાં આવ્યા છે. જેમાં બનાસકાંઠાના 6 અને અન્ય 2 ધારાસભ્યોને સૂચના અપાઇ છે. આ પ્રમાણે કોંગ્રેસે તમામ ધારાસભ્યોને અલગ અલગ ગ્રુપમાં વહેંચ્યા છે. કોંગ્રેસ બનાસકાંઠાના 6 ધારાસભ્યોને અંબાજી લઇ જશે, અંબાજીમાં સિદ્ધાર્થ પટેલની અધ્યક્ષતામાં કરશે બેઠક
ધારાસભ્યોને ઝોન મુજબ રખાશે
કોંગ્રેસના ધારાસભ્યનો ઝોન પ્રમાણે અલગ-અલગ લઇ જવાશે. મધ્ય ગુજરાતના 15થી વધુ ધારાસભ્યોને આણંદના રિસોર્ટમાં લઇ જવાયા છે. સૌરાષ્ટ્રના ધારાસભ્યને સૌરાષ્ટ્રના રિસોર્ટમાં રાખવામાં આવશે. તો ઉત્તરગુજરાતના ધારાસભ્યને ઉત્તર ગુજરાતના રિસોર્ટમાં રાખવામાં આવશે. જ્યારે દક્ષિણ ગુજરાતના ધારાસભ્યને ત્યાંના રિસોર્ટમાં રાખવામાં આવશે.
કોને જવાબદારી સોંપાઇ?
મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત ભરતસિંહની જવાબદારીમાં રહેશે. જ્યારે સૌરાષ્ટ્રના ધારાસભ્યોની આગેવાની અર્જૂન મોઢવાડિયા અને પરેશ ધાનાણીના શિરે છે. ઉત્તર ગુજરાતની જવાબદારી જગદિશ ઠાકોર અને સિદ્ધાર્થ પટેલના શિરે છે.