ટીવીનો સૌથી પોપ્યુલર શો તારક મહેતા...જેઠાલાલ વગર તમે ઇમેજીન ન કરી શકો. જેઠાલાલનું પાત્ર દિલીપ જોષી ભજવે છે પરંતુ પહેલા આ પાત્ર બોલીવૂડના આ કલાકારને ઑફર કરવામાં આવ્યું હતુ.
જેઠાલાલના રોલ માટે દિલીપ પહેલી પસંદ નહી
રાજપાલ યાદવને કરવામાં આવ્યો હતો અપ્રોચ
જેઠાલાલનો રોલ રિજેક્ટ કર્યાનો કોઇ જ અફસોસ નહી
મનોરંજનથી ભરપૂર આ શોને 13 વર્ષ પૂરા થયા અને તેનું સેલિબ્રેશન પર જોરદાર થયુ હતુ. જેઠાલાલના રોલ માટે મેકર્સે રાજપાલ યાદવને અપ્રોચ કર્યો હતો અને તેણે રિજેક્ટ કરી દીધો હતો પરંતુ આ રોલ છોડ્યાનું દુઃખ તેને સહેજ પણ નથી.
એક ઇન્ટરવ્યૂમાં રાજપાલ યાદવે જણાવ્યું કે, તારક મહેતા...શો છોડ્યાનો તેને કોઇ અફસોસ નથી કારણકે દરેક કલાકાર માટે એક પાત્ર હોય છે. આપણે મનોરંજનના માર્કેટમાં છીએ તો કોઇ કલાકારના પાત્રમાં પોતાની જાતને ફીટ કરવી ન જોઇએ. હું માનુ છુ કે જે પાત્ર બને તે રાજપાલ માટે બને પરંતુ બીજા કલાકારે નિભાવેલું પાત્ર કરવાની તક ક્યારેય ન મળે.
રાજપાલ યાદવની કોમેડી આપણને સૌને પસંદ છે. તેણે ચૂપ ચૂપ કે, મુઝસે શાદી કરોગી, મેને પ્યાર કિયા અને ભૂલ ભૂલૈયા જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે. હાલમાં આવેલી હંગામા 2માં પણ રાજપાલે જોરદાર કામ કર્યુ છે. તે ફિલ્મમાં શિલ્પા શેટ્ટી, પરેશ રાવલ, જ્હોની લિવર, મિઝાન જાફરી અને પ્રણિતા સુભાષ પણ છે.
જેઠાલાલના ઓનસ્ક્રીન દિકરા ટપૂથી દિલીપ જોષી નારાજ થયા હતા અને રાજને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો પણ કરી દીધો છે.
જેઠાલાલ અને મહેતા સાહેબ વચ્ચેના સંબંધોમાં પણ તિરાડ પડ્યા હોવાનું સામે આવ્યું હતુ. શોમાં હંમેશા જેઠાલાલની મદદ કરતા મહેતા સાહેબ કે જે તેમના ફાયરબ્રિગેડ છે, રિયલ લાઇફમાં બંને એકબીજાની સામે પણ નથી જોતા. હવે રાજ અનડકટ અને દિલીપ જોશી વચ્ચે ખટરાગ છે તેવી વાત સામે આવી છે.
જેઠાલાલે કહી આ વાત
હાલમાં જ જેઠાલાલે રાજ સાથેના સંબંધને લઇને મૌન તોડ્યુ છે. એક રિપોર્ટ અનુસાર જ્યારે ખબરો બહાર આવી કે બંને વચ્ચે સંબંધો સારા નથી રહ્યાં. રિપોર્ટ પ્રમાણે શૂટ પર દિલીપ જોશી સમય પર આવતા હતા અને રાજને ઘણુ ટોકવા છતાં તે સમય પર આવતો નહોતો.
જેઠાલાલે સંબંધોમાં આવેલી ખટાશ વિશે કહ્યું કે, આ ખબરો ખોટી છે, રાજ અને દિલીપ વચ્ચે કોઇ પ્રકારનો ઝઘડો નથી. હવે આ વાત ખરેખર સાચી છે કે ખોટી તે સમય જ બતાવશે.