9 માર્ચના રોજ પાકિસ્તાનમાં ભૂલથી ઘૂસી ગયેલી ભારતીય મિસાઇલને લઇ કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે સંસદમાં વિગત સાથે પોતાની વાતની રજૂઆત કરી.
અમે આપ્યાં ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ : રાજનાથ સિંહ
મિસાઇલ નિરિક્ષણ દરમ્યાન ભૂલથી છોડી દેવાઇ : રાજનાથ સિંહ
સરકારે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે : રાજનાથ સિંહ
રાજનાથ સિંહે સંસદમાં જણાવ્યું કે, 'આ ઘટના નિરિક્ષણ દરમ્યાન ભૂલથી છોડી દેવાયેલ મિસાઇલ સાથે સંબંધિત છે. નિયમિત નિરિક્ષણ દરમ્યાન અંદાજે 7 વાગ્યે ભૂલથી એક મિસાઇલને છોડી દેવાઇ હતી. જાણવા મળ્યું કે, મિસાઇલ પાકિસ્તાનના ક્ષેત્રમાં જઇને પડી હતી. જ્યારે આ ઘટના માટે અમને છે, જો કે અમને સાથે એ બાબતથી પણ રાહત છે કે, આ દુર્ઘટનાના કારણે કોઇને ઇજા નથી થઇ. સરકારે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે, ઔપચારિક ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપી દેવાયા છે.
તપાસ બાદ જ આ દુર્ઘટના અંગેની વાસ્તવિકતા સામે આવશે
રક્ષામંત્રીએ જણાવ્યું કે, 'આ ઘટના અંગેની તપાસ બાદ જ તેની વાસ્તવિકતા અંગે જાણી શકાશે. સાથે એ પણ જણાવીશ કે, આ ઘટનાના સંચાલન અને નિરિક્ષણ માટે પ્રમાણભૂત કામગીરીની પ્રક્રિયાઓની સમીક્ષા કરવામાં આવી રહી છે. અમે અમારા હથિયાર પ્રણાલીઓની સુરક્ષા અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીએ છીએ. જો કોઇ ખામી દેખાશે તો તેને તત્કાલ દૂર કરવામાં આવશે.'
Rajnath Singh assures Parliament over inadvertent missile firing incident, says 'Indian missile systems reliable and safe'
મિસાઇલ ઘટનાને લઇને પાકિસ્તાનનું કહેવું છે કે, તેઓ આ ઘટનાને લઇને દ્રિપક્ષીય વાર્તા કરવા ઇચ્છે છે. જો કે, આ મામલામાં હવે ચીન પણ કૂદી પડ્યું છે. ચીનનું કહેવું છે કે, ભારત અને પાકિસ્તાને સાથે મળીને આ બાબતે દ્રિપક્ષીય વાર્તા કરવી જોઇએ. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે, 'પાકિસ્તાન અને ભારત બંને જ દક્ષિણ એશિયાના મહત્વપૂર્ણ દેશ છે. તે બંનેની પર ક્ષેત્રમાં શાંતિ બનાવી રાખવાની જવાબદારી છે.'
ભારતના સપોર્ટમાં આવ્યું અમેરિકા
એજન્સીના જણાવ્યા અનુસાર અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા નેડ પાઈસે કહ્યું કે, અમારી પાસે આ પ્રકારના સંકેતો નથી કે, આ જાણી જોઈને કરવામાં આવ્યું હતું. તેના વિશે ભારતે પણ કહ્યું છે કે, આ એક દુર્ઘટના સિવાય અન્ય કંઈ નથી.