બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Politics / rajnath singh at kevadiya praised pm modi and bjp attacked on congress and rahul gandhi

રાજકારણ / ભારતમાં આજે આતંકવાદ નથી એ PM મોદીને આભારી, કેવડીયા ખાતે રક્ષા મંત્રી રાજનાથસિંહના કોંગ્રેસ-રાહુલ પર પ્રહાર

Mayur

Last Updated: 03:14 PM, 2 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેવડિયા ખાતે પ્રદેશ ભાજપની કારોબારી બેઠકમાં રક્ષામંત્રી રાજનાથસિંહે હાજરી આપતા પોતાના સંબોધનમાં PM મોદીના કર્યા વખાણ કર્યા હતા તો પ્રશાંત કિશોર પર આડકતરા પ્રહાર કર્યા હતા.

  • કેવડિયા ખાતે પ્રદેશ ભાજપની કારોબારી બેઠક
  • કારોબારી બેઠકમાં રક્ષામંત્રી રાજનાથસિંહનું સંબોધન
  • રાજનાથસિંહે PM મોદીના કર્યા વખાણ

પ્રદેશ ભાજપની કારોબારી બેઠક કેવડિયા ખાતે ચાલી રહી છે. આજે તેમ ભારતના રક્ષામંત્રી રાજનાથસિંહ પણ તેમાં હાજર રહ્યા હતા. સવારે વડોદરા એરપોર્ટ પર ઉતરાણ બાદ રાજનાથસિંહ સીધા કેવડિયા પહોંચ્યા હતા. બેઠકમાં ડિજિટલ પ્રોજેક્ટ લોન્ચ કરાયો હતો. કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહના હસ્તે લોન્ચ કરાયેલ આ પ્રોજેકટ બાદ ભાજપ ડિજિટલ તરફ આગળ વધશે. ભાજપ હવે ટેબ્લેટ લોન્ચ સાથે પેપરલેસ બનશે. 

કારોબારી બેઠકમાં રક્ષામંત્રી રાજનાથસિંહનું સંબોધન પણ મુખ્ય હતું. પોતાની સ્પીચમાં રાજનાથસિંહે PM મોદીના વખાણ કર્યા હતા. 

Image

કોંગ્રેસે આયાતી ટેલેન્ટ લાવવી પડે છે 

પ્રશાંત કિશોરની કોંગ્રેસમાં જોડાવાની અટકળો બાબત પ્રશાંત કિશોર પર રાજનાથસિંહે આડકતરા પ્રહાર કર્યા હતા. રાજનાથ સિંહે કહ્યું હતું કે કોંગ્રેસે આયાતી ટેલેન્ટ લાવવી પડે છે 
પરંતુ ગુજરાત ભાજપ પાસે તો ટેલેન્ટની કોઇ કમી જ નથી. અને સી.આર.પાટીલના નેતૃત્વમાં ટેક્નોલોજીનો વધુ ઉપયોગ થયો હતો. 

તેમણે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી PM બન્યા બાદ દેશની રાજનીતિની તસવીર બદલાઇ હતી. વિપક્ષો ભાજપને ચૂંટણી જીતવાનું મશીન કહે છે પરંતુ ખરેખર ભાજપ વિશ્વાસ જીતવાની જમીન છે. ભાજપની ઉત્તરોતર પ્રગતિ નાના મોટા કાર્યકર્તાઓને આભારી છે. 

રાહુલ ગાંધી પર આકરા પ્રહારો

આ ઉપરાંત તેમણે પોતાના ભાષણમાં રાહુલ ગાંધી પર પ્રહારો કરતાં કહ્યું હતું કે કોઇપણ બાબતનો વિરોધનો પર્યાય છે રાહુલ ગાંધી. કોંગ્રેસ પર તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ વખતમાં ભ્રષ્ટાચારની ભરમાર હતી અને હવે ભાજપ સરકારમાં પારદર્શક કામગીરી થઇ ગઈ છે. 

Image

આજે દેશમાં ક્યાંય આતંકવાદ નથી

આતંકવાદ બાબતે રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે આજે દેશમાં ક્યાંય આતંકવાદ નથી. ઉરી ઘટના બાદ દુનિયાને સંદેશ મળ્યો હતો કે ભારત સીમા પાર કરીને પણ હુમલો કરી શકે છે.  આજે સમગ્ર ભારતમાં આતંકવાદ નથી તે PM મોદીને આભારી છે. ભારત હથિયારોના ઉત્પાદનમાં પણ ધીમેધીમે  સંપૂર્ણ સ્વાવલંબી બનશે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ