સુશાંત સિંહ રાજપૂત.... હસતો, પ્રેમાળ, ભોળો ચહેરો જે હવે આપણી વચ્ચે નથી રહ્યો પરંતુ તેની યાદો ફિલ્મ સ્વરૂપે હંમેશા આપણી સાથે રહેશે. 14 જૂને સુશાંતે પોતાના જ મુંબઇ ખાતેના ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. માનવામાં આવી રહ્યું છે કે સુશાંતે ડિપ્રેશનના કારણે આત્મહત્યા કરી લીધી છે. સુશાંત આપણા સૌના માટે તેમની છેલ્લી યાદ તેમની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા' મૂકતા ગયા છે. મેકર્સે તેને 24 જુલાઇએ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે.
સુશાંતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા'
'દિલ બેચારા'નું પ્રમોશન કરશે રાજકુમાર
ભૂમિ અને શ્રદ્ધા આપી રહ્યા છે સાથ
સુશાંતના ફેન્સ ઇચ્છતા હતા કે 'દિલ બેચારા'ને થિયેટરમાં રિલીઝ કરવામાં આવે પરંતુ કોરોનાને કારણે ફિલ્મને હોટસ્ટાર પર રિલીઝ કરવાનો મિર્ણય કરવામાં આવ્યો છે. સુશાંતના મોતથી તેમનો ખાસ મિત્ર રાજકુમાર રાવ ખુબ દુખી છે. રાજકુમારે સુશાંતની છેલ્લી ફિલ્મનું પ્રમોશન કરવાનુ નક્કી કર્યુ છે.
રાજકુમાર રાવે સુશાંતના ગયા પછી ઇન્સ્ટા પર લખ્યુ હતુ કે તમે ખુબ યાદ આવશો ભાઇ, અને હવે 'દિલ બેચારા'નુ પ્રમોશન કરી રહ્યા છે. રાજકુમાર રાવ સાથે ભૂમિ પેડનેકર અને શ્રદ્ધા કપૂર પણ જોડાયા છે. બંને અભિનેત્રીઓએ સુશાંતની ફિલ્મનુ પ્રમોશન કર્યુ છે.
તમને જણાવી દઇએ કે સુશાંતે 2013માં આવેલી ફિલ્મ 'કાઇ પો છે'થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. બાદમાં તેમણે 'શુદ્ધ દેશી રોમાન્સ', 'એમએમસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી', 'પીકે', 'કેદારનાથ' અને 'છીછોરે' જેવી મોટી ફિલ્મોમાં કામ કર્યુ હતુ. જ્યારે તેમની ફિલ્મ 'દિલ બેચારા' હવે રિલીઝ માટે તૈયાર છે.