ગરીબોને આપી તો નથી શક્તા, પરંતુ ગરીબો માટે જે બની રહ્યું છે તેમાં પણ અડચણ ઊભી કરી રહ્યા છે. રાજકોટના શ્યામલ કુંજ વિસ્તારમાં ગરીબો માટે આવાસના મકાનો બની રહ્યા છે, પરંતુ અહીંની ખાનગી બિલ્ડિંગોમાં રહેતા લોકોને પોતાની સ્કિમનો ભાવ ઘટી જવાની બીક છે. જેના પગલે મહિલાઓને હથિયાર બનાવી ખાનગી બિલ્ડિંગમાં રહેલા લોકો વિરોધ કરવા માટે પહોંચી ગયા છે.
વિરોધ કરી રહેલા લોકોનું એવું કહેવું છે કે, આ વિસ્તારમાં સરકારી આવાસની આ છઠ્ઠી યોજના છે અને જો આ યોજના પ્રમાણે અહીં મકાનો બને તો તેમના મકાનોના અને જમીનના ભાવ ઘટી જશે. જેથી અહીં આવાસના મકાનો ન બનવા જોઈએ. વિરોધ કરી રહેલા લોકોએ દાદાગીરીથી આવાસ યોજનાનું કામ કરી રહેલા કર્મચારીઓને પણ ધાકધમકી આપી કામ બંધ કારવી દીધું અને સ્થળ પરથી ભાગવા માટે મજબૂર કર્યા છે.
આ લાલચૂ અને સ્વાર્થિઓ સામે અનેક સવાલો પણ ઊઠી રહ્યા છે. કે, શું આ જમીન તમારા પૈસાની છે કે તમે વિરોધ કરવા પહોંચી ગયા? તમને કોણે આપ્યો આવાસનો વિરોધ કરવાનો હક્ક? તમારી સ્કિમોનો ભાવ ઘટી જાય તેમાં ગરીબો શું કરે? એટલો જ ભાવ ઘટવાનો ડર હોઈ તો પોતાનું મકાન વેંચી જતા રહો ને? માનવતાને હલકીપાડી જમીનના ભાવ ઊંચા કરવા માગો છો? તમે ગરીબોને કાંઈ આપી તો શક્તા નથી પરંતુ જે આપે છે તેમાં શા માટે અવરોધ પૈદા કરો છો?