રાજકોટઃ જેતપુરમાં થયેલા મગફળીના કૌભાંડ મામલે VTVએ સૌથી મોટો ખુલાસો કર્યો છે. આ કૌભાંડમાં માળિયા હાટીના ભાજપના પ્રમુખ મુળુભાઈ ઝુંઝિયા પર મંડળીના સભ્યોએ આરોપ લગાવ્યો છે. મુળુભાઈએ મંડળીના બદલે મગફળીની ખરીદી પોતાની વાડીમાં કરી હતી.
નાફેડ દ્વારા મંડળી પરિસરમાં મગફળી ખરીદવાનો આદેશ આપવામાં આવ્યો હતો. મુળુભાઈએ બાજુના ગામ નાની ધણેજમાં 10 ગામની મગફળીની ખરીદી કરી હતી. ધોરાજીના પેઢલાની મગફળી મોટી ધણેજની મંડળીમાં કરવામાં આવી હતી. મોટી ધણેજનમી મંડળીમાં માટી અને કાંકરા નિકળ્યા હતા.
ત્યારે હવે મુળુભાઈ અને આંણી મંડળીએ ખેડૂતોની મગફળી મીલોને વેચી મારવાનો આરોપ લગાવ્યો છે. ત્યારે હવે મુળુભાઈની વાડીમાં નાફેડના અધિકારીઓને બદલે મીલતો આવતા હોવાનો મંડળીના સભ્યોએ આરોપ લગાવ્યો છે. ભાજપના તાલુકા પ્રમુખે સત્તાનો ઉપયોગ કરીને મગફળી કાંડ સર્જયુ હોવાનો આરોપ લગાવ્યો છે. મીલરો સારી મગફળી લઈને કાંકરી અને માટી મુકી ગયા હોવાના સભ્યોએ આક્ષેપ કર્યા છે.