રાજકોટ મહાનગર પાલિકાના વાલ્વ કૌભાંડમાં નવો ખુલાસો થયો છે. આ કૌભાંડની તપાસ કરી રહેલી ક્રાઈમબ્રાંચે વિજીલીયન્સ ટેકનિકલ ઓફિસથી 25 વાલ્વ કબજે કર્યા છે. આ સિવાય વીનુ મેરિયા અને નરેશ મેરિયા નામના બે આરોપીની પણ ક્રાઈમબ્રાંચે ધરપકડ કરી છે. આરોપીઓ બજરંગ કંસ્ટ્રક્શન નામની એજન્સી ધરાવે છે અને ત્યાંથી બે વાલ્વ ખરીદ્યા હોવાની કબૂલાત પણ કરી છે.
ઉલ્લેખનીય છે કે કોન્ટ્રોકટરોએ કોર્પોરેશનમાંથી મેળવેલા કિંમતી વાલ્વ જે તે ફોલ્ટની જગ્યાએ ફીટ નહિ કરી તેની જગ્યાએ પોતાની રીતે શિતલ સેનેટરીવાળા બુરહાન સિદ્દીકઅલીને વેંચી દઇ આ વાલ્વની કિંમત મેળવી પોતાના ઉપયોગમાં લઇ આર.એમ.સી. સાથે વિશ્વાસઘાત કર્યો હતો. ત્યારે રાજકોટ મહાનગર પાલિકાના વાલ્વ કૌભાંડ મામલે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઇ છે. 11 જેટલા કોન્ટ્રાક્ટર અને ખરીદનાર સામે કલમ 406 408 409 અને 114 મુજબ ફરિયાદ નોંધાઈ છે. વાલ્વ ખરીદનાર શીતલ સેનેટરી વેર સામે પણ ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચ દ્ગારા તપાસ શરૂ કરવામાં આવી હતી.