રાજકોટના શિક્ષણ વિભાગ દ્વારા શાળા પ્રવેશોત્સવને લઇને પરિપત્ર બહાર પડાયો છે. જેમાં જ્યાં મહાનુભાવો ઉપસ્થિત રહેવાના હોય ત્યાં સારી શાળા પસંદ કરવાની સૂચના અપાઇ છે. મોટી અને વધુ વિધાર્થીઓવાળી શાળા પસંદ કરવાની શિક્ષણ વિભાગ દ્વારા સૂચના બહાર પાડવામાં આવી. સારી ગુણવત્તાની શાળામાં મહોત્સવ કરીને સારૂં ચિત્ર રજૂ કરવાનો સરકાર દ્વારા પ્રયાસ થઇ રહ્યો છે.
જે શાળામાં મહાનુભવો ઉપસ્થિત રહેવાના હોય ત્યાં સારી શાળા પસંદ કરવાની સૂચના
નોંધનીય છે કે, જ્યારે રાજ્યમાં વેકેશન હવે ખુલી ગયું છે ત્યારે પ્રવેશોત્સવના પ્રારંભને લઇને તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ત્યારે રાજકોટ શિક્ષણ વિભાગ દ્વારા શાળા પ્રવેશોત્સવને લઇને એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જે પરિપત્ર હાલમાં વિવાદમાં આવ્યો છે. કારણ કે તેમાં ખાસ કરીને જે શાળામાં મહાનુભવો ઉપસ્થિત રહેવાના હોય ત્યાં સારી શાળા પસંદ કરવાની સૂચના અપાઇ છે. ખાસ કરીને મોટી તેમજ વધારે વિદ્યાર્થીઓવાળી શાળા પસંદ કરવી એવી સૂચના અપાઇ છે.
પરિપત્રનું ખોટું અર્થઘટન કરાયું: શિક્ષણમંત્રી
જો કે, શિક્ષણ વિભાગના શાળા પ્રવેશોત્સવને લઈને અપાયેલા પરિપત્ર અંગે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે, 'પરિપત્રનું અર્થઘટન ખોટું કરાયું છે, વિરોધીઓ તેનો અપપ્રચાર કરે છે.'
શિક્ષણનું એક ફૂલગુલાબી ચિત્ર રજૂ કરવાનો પ્રયાસ
મહત્વનું છે કે, શિક્ષણ વિભાગના પરિપત્ર પ્રમાણે શિક્ષણનું એક ફૂલગુલાબી ચિત્ર રજૂ કરવાનો પ્રયાસ થયો અને શિક્ષણ વિભાગ દ્વારા મહોત્સવના નામે સારી ગુણવત્તાવાળી શાળાઓ મહોત્સવમાં રજૂ કરીને સારું ચિત્ર રજૂ કરવાનો જે પ્રયાસ છે તે એક ચર્ચાનો વિષય બન્યો છે. આજે જિલ્લા પ્રભારી અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણી પણ આજે રાજકોટની મુલાકાતે જ છે. ત્યારે આ બાબતે તેઓ શું કહેશે તે જોવાનું રહ્યું. જો કે, અહીં શાળા પ્રવેશોત્સવમાં શિક્ષણનું સારૂં ચિત્ર રજૂ કરવાનો સરકાર દ્વારા પ્રયાસ કરાતા કેટલાંક સળગતા સવાલો પણ ઊભા થયા છે. જેવાં કે,