રાજકોટમાં ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના આગ લાગતા 5 લોકોના મૃત્યું થયા હતા અને એક ગંભીર રીતે ઘાયલ થયા છે. ત્યારે સૌથી મોટો સવાલ એ થાય છે કે આ હોસ્પિટલો 'મોતની પથારી' કેમ બની રહી છે? ઉદય શિવાનંદ હોસ્પિટલ અગ્નિકાંડ મામલે ICUમાં વેન્ટિલેટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે.
ICU રૂમમાં 3 અલગ-અલગ કંપનીના વેન્ટિલેટર હતા
રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલ અગ્નિકાંડ મામલે ICUમાં વેન્ટિલેટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. ICU રુમમાં ત્રણ અલગ-અલગ કંપનીના વેન્ટિલેટર હતા. જેમાં હેમીલ્ટન, L&T અને ધમણ કંપીનાના વેન્ટિલેટર હતા.
રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના વીજ જોડાણને લઇને સૌથી મોટો ઘટસ્ફોટ જોવા મળ્યો છે. જેમાં હોસ્પિટલ દ્વારા 11 કિલોવોટની લાઇનમાંતી ગેરકાયદે સીધુ વીજ જોડાણ લેવામાં આવ્યું હોવાની વાત સામે આવી છે. જો કે આ અંગે PGVCLના અધિકારીઓ તપાસ કરી રહ્યાં છે.
રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ મામલે નવો ખુલાસો થયો છે. શિવાનંદ મિશન ટ્રસ્ટના ટ્રસ્ટી અશોક મહેતાએ તંત્રની પોલ ખોલતો દાવો કર્યો છે. અશોક મહેતાએ કહ્યું કે, ટ્રસ્ટે કોવિડ હોસ્પિટલ શરૂ કરવા ના પાડી હતી તેમ છતા કલેકટરે ફરજ પાડીને કોવિડ સેન્ટર શરૂ કરાવ્યું હતું. તંત્રના કહેવાથી જ ગોકુળ હોસ્પિટલને ભાડે આપી હતી. અશોક મહેતાના નિવેદનને લઈને કલેક્ટર પર પણ સવાલ ઉઠી રહ્યા છે.
ગોકુળ હોસ્પિટલ કરે છે શિવાનંદ હોસ્પિટલનું સંચાલન
રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલનં સંચાલન ગોકુળ હોસ્પિટલ કરે છે. આ અગાઉ શિવાનંદ મિશન આંખની હોસ્પિટલ ચાલતી હતી. ગોકુળ હોસ્પિટલ દ્વારા આ હોસ્પિટલ ભાડે રાખવામાં આવી છે અને 3 મહિના અગાઉ જ કોવિડ સેન્ટર ફાળવવામાં આવ્યું હતું. ડૉ. પ્રકાશ મોઢા સંચાલન કરે છે જ્યારે ડૉ. તેજસ કરમટા હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ છે.
હોસ્પિટલો 'મોતની પથારી' કેમ બની રહી છે?
જો કે પ્રાપ્ત મળતી વિગત અનુસાર મોટાભાગની હોસ્પિટલો બિઝનેસમેન ચલાવે છે ડોક્ટર અને નિષ્ણાંત તબીબો નહી
સવાલ એ છે કે કોરોના માટે ફાળવાયેલી હોસ્પિટલમાં અચાનક આગ કેમ લાગવા માંડી?
ICUને જોડતા તમામ મશીનોનું વાયરિંગ ખુલ્લુ હોય છે જેના સ્ટાન્ડર્ડ અનુસરાતા નથી
જલદીથી કોરોના પેશન્ટ લેવામાં ખાનગી હોસ્પિટલોએ ઓક્સિજન ફિટિંગના નિયમો ન જાળવ્યા
ICUમાં ઓછી જગ્યામાં વધુ પથારીઓ રાખવાની હોસ્પિટલના બિઝનેસમેનોની લાલચ પણ જવાબદાર
કોરોનામાં બિઝનેસ દેખાતા ખાસ લોકોએ નાની જગ્યાઓ પણ હોસ્પિટલ માટે ભાડે રાખી છે
હોસ્પિટલોને તંત્ર લાયસન્સ અને ફાયર NoC હાલના સ્ટ્રક્ચર પર અપાતું હોય છે
જેવું લાયસન્સ અને ફાયર NoC મળે કે તરત જ ધંધાદારીઓ હોસ્પિટલના સ્ટ્રક્ચરને સગવડતા પ્રમાણે બદલી નાખે છે
ઓક્સિજન ટ્યૂબ અને ICUના ફિટિંગમાં 1 મહિનો લાગે જે 1 કે 2 દિવસમાં જ કરી નાખવામાં આવે છે
હોસ્પિટલની કેપાસિટી વધારવા માટે દર્દીઓને ડ્રેસિંગ અને કન્સલ્ટિંગ રૂમમાં પણ પથારી આપી દેવામાં આવે છે
કોવિડ હોસ્પિટલ શરૂ કરાઈ ત્યારે સ્થાનિકોએ કર્યો હતો વિરોધ
રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ જ્યારે શરૂ કરવામાં આવી ત્યારે સ્થાનિકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. સ્થાનિકોએ વિરોધના પગલે મુખ્ય પ્રવેશ દ્વારા બંધ દેવાયો હતો.
ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના આગનો બનાવ
રાજકોટમાં ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના આગ લાગતા 5 લોકોના મૃત્યું થયા હતા અને એક ગંભીર રીતે ઘાયલ થયા છે. આ હોસ્પિટલમાં 33 લોકો સારવાર લઇ રહ્યાં હતા. જો કે મોડી રાત્રે જ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. હાલ અન્ય દર્દીઓને બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.