રાજકોટમાં પ્રેમી યુગલે ઝેરી દવા પીને આપઘાત કર્યો છે. આ યુગલે ઘરના 1 કિલોમીટર દૂર જઇને જાહેરમાં ઝેરી દવા પીને આપધાત કર્યો છે. બન્નેને સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા પરંતુ બન્નેને ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવારોમાં શોકની લાગણી જોવા મળી હતી. બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવ્યાં છે.
જોકે માલવીયાનગર પોલીસે આ સમ્રગ મામલા માટે પરિવારની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે.કયા કારણોસર આ પ્રેમી યુગલે જીવન ટૂંકાવ્યું છે તે જાણી શકાયું નથી. ડૉક્ટરની પ્રાથમિક તપાસમાં બંનેની ઉંમર નાની હોવાનું જાણવા મળ્યું છે. આ કેસમાં યુવતીની ઉંમર માત્ર 16 વર્ષ જ હોવાનું જાણવા મળી રહ્યું છે.