Rajesh Sakhia's deputation against Govind Sagapariya regarding the meeting of Ribda. Petition to the collector, warning of hunger strike, know the controversy
ગોંડલના રીબડા ગામે યોજાયેલી જાહેર સભાને લઈને ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. રાજેશ સખીયા અને સમર્થકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ગોંડલમાં 22 ડિસેમ્બરના રોજ પૂર્વ ધારાસભ્ય જયરાયસિંહની સભા યોજાઈ હતી.
ગોંડલના રીબડા ગામે યોજાયેલી જાહેર સભાને લઇ ડેપ્યુટી કલેક્ટરને આવેદન
22 ડિસેમ્બરના રોજ પૂર્વ MLA જયરાજસિંહની યોજાઇ હતી સભા
8 દિવસમાં માંગ ન સ્વીકારવા પર રાજેશ સખિયાએ ઉપવાસ આંદોલનની ઉચ્ચારી ચીમકી
ગોંડલના રીબડા ગામે યોજાયેલી જાહેર સભાને લઈને ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. રાજેશ સખીયા અને સમર્થકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ગોંડલમાં 22 ડિસેમ્બરના રોજ પૂર્વ ધારાસભ્ય જયરાયસિંહની સભા યોજાઈ હતી. ત્યારે સભામાં ગોવિંદ સગપરીયાએ રીબડાના માજી ધારાસભ્ય અને તેમના પુત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. જેને આક્ષેપોને લઈને રાજેશ સખીયા અને સમર્થકોએ આવેદનપત્ર આપ્યું છે. ત્યારે આવેદનપત્ર આપવાની સાથે સાથે રાજેશ સખીયાએ આક્ષેપોનાં પુરાવા પણ રજૂ કરવા અથવા માફી માંગવાની માંગ કરી છે અને જો 8 દિવસમાં માંગ ન સ્વીકારવામાં આવે તો રાજેશ સખીયાએ ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
રાજકોટના રીબડા ગામે થયેલી મારામારીનો મામલે અનિરૂદ્ધસિંહના દીકરા સહિતના 3 લોકોના આગોતરા જામીન રદ થયા છે. તમને જણાવી દઈએ કે, અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ સહિત 3 લોકો સામે ગુનો દાખલ થયો છે.
રાજકોટના રીબડા ગામે થયેલી મારામારીનો મામલો
રાજકોટના રીબડા ગામે થયેલી મારામારીનો મામલે અનિરૂદ્ધસિંહના દીકરા સહિતના 3 લોકોના આગોતરા જામીન રદ થયા છે. રીબડા જૂથને આગોતરા જામીન રદ થયાં છે. અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ સહિત 3 લોકો સામે ગુનો દાખલ થયો છે. જે બાબતે રીબડા જૂથની જામીન આગોતરા જામીન રદ થયા છે. તમને જણાવી દઈએ કે, રીબડા પાસે ચૂંટણીની અદાવતમાં બોલાચાલી થઇ હતી.
રીબડામાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ સર્જાઈ હતી
થોડા દિવસ અગાઉ ગોંડલના રીબડા પાસે ચૂંટણીની અદાવતમાં બોલાચાલી થયાની ચર્ચા વહેતી થતાં જયરાજસિંહ જાડેજા અને SP જયપાલસિંહ રાઠોડ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. 22 ડિસેમ્બરે મોડી સાંજે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર રાજદીપસિંહ અને તેમના સાથીઓએ યુવકને બંધુક દેખાડી ધમકી આપ્યાનો આક્ષેપ કરાયો હતો. જોકે, અનિરુદ્ધસિંહ જાડેજાએ આ આક્ષેપોને નકારી કાઢ્યા હતા અને આને રાજકીય ચાલ ગણાવી હતી.
યુવકને બંધુક દેખાડી ધમકી આપ્યાનો થયો હતો આક્ષેપ
થોડા દિવસ અગાઉ ગોંડલના રીબડા પાસે ચૂંટણીની અદાવતમાં બોલાચાલી થયાની ચર્ચા વહેતી થતાં જયરાજસિંહ જાડેજા અને SP જયપાલસિંહ રાઠોડ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. 22 ડિસેમ્બરે મોડી સાંજે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર રાજદીપસિંહ અને તેમના સાથીઓએ યુવકને બંધુક દેખાડી ધમકી આપ્યાનો આક્ષેપ કરાયો હતો. જોકે, અનિરુદ્ધસિંહ જાડેજાએ આ આક્ષેપોને નકારી કાઢ્યા હતા અને આને રાજકીય ચાલ ગણાવી હતી. જોકે, અનિરુદ્ધસિંહના પુત્ર રાજદીપસિંહ સહિત 3 લોકો સામે ફરિયાદ નોંધાવામાં આવી હતી.
ક્ષત્રિય આગેવાનોએ સમાધાનના પ્રયાસ કર્યા હતા શરૂ
ગોંડલના જયરાજસિંહ જાડેજા અને રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા વચ્ચે વિવાદ વધતા ક્ષત્રિય આગેવાનો દ્વારા સમાધાનના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતા. જયરાજસિંહ-અનિરુદ્ધસિંહ વચ્ચે સમાધાનના પ્રયાસ માટે ક્ષત્રિય આગેવાનો મેદાને પડ્યા હતા. આંતરરાષ્ટ્રીય રાજપૂત સમાજના પ્રમુખ પી.ટી જાડેજાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, બંને આગેવાનો ગુજરાતના ક્ષત્રિય સમાજનું ઘરેણું છે. તેઓ વડીલ તરીકે મારી વાત નહીં માને તો અચોક્કસ મુદતના ઉપવાસ કરીશ.