અમદાવાદના રાજસ્થાન હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. હોસ્પિટલની બેદરકારીથી દર્દીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. રાજસ્થાન હોસ્પિટલે 40 મિનિટ સુધી ગેટ ન ખોલતા દર્દીનું મૃત્યુ થયું છે.
દર્દીની તબિયત વધુ બગડતા રાજસ્થાન હોસ્પિટલમાં કર્યો હતો શિફ્ટ
શિફ્ટ કરતા અગાઉ રાજસ્થાન હોસ્પિટલમાં કરી હતી વાતચીત
દર્દી રાજસ્થાન હોસ્પિટલમાં પહોંચ્યા ત્યારે એડમિટ ન કરાયા
અમદાવાદની ખાનગી હોસ્પિટલનો અમાનવીય ચહેરો સામે આવ્યો છે. છેલ્લા 10 દિવસથી લાઈફકેરમાં સારવાર લઇ રહેલા દર્દીની તબિયત વધુ લથડતા તેને રાજસ્થાન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં લાવતા પહેલા હોસ્પિટલમાં વાતચીત પણ કરી હતી. તેમ છતા પણ રાજસ્થાન હોસ્પિટલમાં દર્દીને એડમિટ ન કરાયા જેથી દર્દીઓ એમ્બ્યુલન્સમાં જ દમ તોડ્યો હતો. હોસ્પિટલ દ્વારા 40 મિનિટ સુધી ગેટ ખોલવામાં આવ્યો ન હતો.