રાજસ્થાનના પહલૂ ખાનના મૉબ લિન્ચિંગ મામલામાં કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કરી દીધા છે.અલવર ડિસ્ટ્રિક્ટ કોર્ટે પુરાવા ના હોવાને કારણે આરોપીને નિર્દોષ જાહેર કરી દીધા. આ મામલામાં પીડિતોના વકીલ યોગેન્દ્ર સિંહ ખડાનાએ કહ્યુ કે, નિર્ણયની કૉપી મળ્યા પછી તેનો અભ્યાસ કરીને આ નિર્ણયને ઉપરી કોર્ટમાં જશે.
તમને જણાવી દઇએ કે, આ મામલામાં કુલ 9 આરોપી હતા, 9માંથી 3 આરોપી સગીર હતા. બુધવારે કોર્ટે 6 આરોપીને શંકાનો લાભ આપતા નિર્દોષ જાહેર કર્યા.
અલવર જિલ્લા કોર્ટમાં જજે જેવો આ નિર્ણય સંભળાવ્યો ત્યારે કોર્ટની બહરા 'ભારત માતા કા જય' ના નારાં લાગવાનું શરૂ થઇ ગયુ. નિર્ણય આવ્યા પછી આરોપીઓના વકીલે કહ્યુ કે, આરોપીઓનું કોઇ નિવેદન ન હતુ, ના તો તેમના વિરુદ્ઘ કોઇ ફરિયાદ હતી કેમકે પહલૂ ખાન માર્યો ગયો હતો. એવામાં પોલીસે ખોટો કેસ બનાવીને તેમની ધરપકડ કરી દીધી હતી. બચાવ પક્ષના વકીલે કહ્યુ કે, જે વીડિયો છે તે વીડિયો એકદમ ધૂધંળો હતો જેમાં કોઇ પણ પ્રકારની કોઇ તસ્વીર સ્પષ્ટ દેખાતી ન હતી અને વીડિયો કોર્ડમાં એડમેસિબેલ ન હતો. જોકે કોર્ટે આ આરોપીઓને નિર્દોષ જાહેર કરી દીધા.
6 accused in the Pehlu Khan lynching case (2017) in Alwar have been acquitted by a Rajasthan court. pic.twitter.com/oGzsFY64Ri
રિપોર્ટ અનુસાર, જે વ્યકિત આ અંગે દાવો કર્યો કે જેણે આ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો, તેણે જ કોર્ટમાં જુબાની ના આપી કે તેણે જ આ વીડિયો બનાવ્યો છે. બચાવ પક્ષના વકીલ અનુસાર, એવામાં વીડિયોની સત્યતા પર સવાલ થઇ રહ્યા છે. જ્યાં સુધી મોબાઇલ લોકેશનની વાત છે કે મોબાઇલ લોકેશનથી સાબિત ના થઇ શકે કે આરોપીઓની પાસે તેમનો મોબાઇલ હતો અને તેઓ ત્યાં હાજર હતા.
બચાવ પક્ષના વકીલે કહ્યુ કે, ભગવાન જ જાણે પહલૂ ખાને કોણે માર્યો? પહલૂ ખાનને તો અહીંયા કોઇએ નથી માર્યો, તો ઉપરવાળો જ નક્કી કરશે કે પહલૂ ખાન કઇ રીતે મર્યો? તો બીજી તરફ સરકારી વકીલે કહ્યુ કે, અમારી પાસે જ પણ એવિડન્સ પોલીસને આપવામાં આવ્યા હતા, પરંતુ કોર્ટે અમારી વાત ના માની અને અમે ઉપરી કોર્ટમાં જઇશું.
તમને જણાવી દઇએ કે, પહલૂ ખાનના નિવદેન પર પોલીસે 6 લોકોને આરોપી ગણ્યા હતા પરંતુ આ તમામ આરોપીનઓની તપાસ દરમિયાન પોલીસે ક્લિન ચીટ આપી દીધી. જે પછી 9 લોકોને આરોપી ગણાવ્યા, જેમાંથી 6 આજે નિર્દોષ સાબિત થયા અને જ્યારે બાકીના 3 સગીરની સુનાવણી જુવેનાઇલ કોર્ટમાં થઇ રહી છે કેમકે તેઓ સગીર છે.
શું હતો મામલો?
આપને જણાવી દઈએ કે એક એપ્રિલ 2017ના પહલૂ ખાન પોતાના 2 દિકરા ઉમર અને તાહિરની સાથે જયપુરના પશુ બજારમાંથી પશુ ખરીદીને પોતાના ઘરે જઇ રહ્યા હતા. આ વચ્ચે રાજસ્થાનના અલવરના બહરોડ પુલિયાની પાસે ભીડે ગાડી રોકીને પહલૂ ખાન અને તેના દિકરાઓ સાથે મારપીટ કરી. જ્યારે આ ઘટનાની જાણકારી પોલીસને મળી ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી અને પહલૂ ખાનને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યો. સારવાર દરમિયાન 3 દિવસ પછી તેની મૃત્યુ થઇ. જેના કારણે ત્રણ દિવસ બાદ પહલૂ ખાનનું મોત નીપજ્યું હતું.