ગાંધીનગરઃ રવી પાકના વાવેતરની મોટાભાગની કામગીરી નવેમ્બરમાં હાથ ધરાતી હોય છે. ત્યારે રાજ્યમાં ઓછા વરસાદથી રવી વાવેતરમાં ઘટાડો નોંધાવા પામ્યો છે. ત્યારે ગુજરાતમાં રવી પાકનું વાવેતર 48થી 50 ટકા સુધી થવાની શક્યતા ખેડૂતો જણાવી રહ્યા છે. ત્યારે રવી પાકના વાવેતરમાં 25થી 50 ટકાનો ઘટાડો નોંધાયો છે.
સિંચાઇ માટે પાણીની અછતથી વાવેતરમાં ઘટાડો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. સિંચાઇ માટે નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે. ચાલુ વર્ષે અત્યાર સુધી 7.88 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાયું છે. ગત વર્ષે 13.69 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું.
ધઉં બાજરી મકાઇ કઠોળ જીરાના વાવેતરમાં ઘટાડો થયો છે. શાકભાજી અને ઘાસચારાના વાવેતરમાં પણ ઘટાડો નોંધાયો છે. અછતગ્રસ્ત અને ખેડૂતો માટે સરકારે વિશેષ પેકેજ જાહેર કર્યું છે.
મહત્વનું છે કે રવી વાવેતરને ભારે ગરમીએ અસર કરી હતી. પાકને ઠંડી આબોહવાની આવશ્યક્તા રહે છે. તેથી ગરમ વાતાવરણના કારણે પાક નબળો પડી જાય છે.