ભારતીય રેલ્વે ટૂંક સમયમાં કોરોના વાયરસના રોગચાળાને કારણે અટકેલી ટ્રેનોનું કામકાજ ફરીથી શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. જો કે આ ટ્રેનો દોડતા પહેલા 6 જાન્યુઆરીથી ઘણી ટ્રેનોના ભાડામાં વધારો થવાનો છે. આવા મેસેજ વાયરલ થયાં હતા જો કે, આ અંગે રેલવેએ ખુલાસો કર્યો છે અને સમાચારના સત્યથી વેગળા ગણાવ્યા છે.
રેલ્વે ટિકિટમાં ભાવવધારો થવાનો મેસેજ ખોટો
રેલવેએ આપી જાણકારી
હાલ ટિકિટના દર વધારવાનો કોઇ જ વિચાર નહીં હોવાની કરી વાત
ન્યૂઝ એજન્સી એએનઆઈએ જણાવ્યું હતું કે,મંગળવારે ભારતીય રેલ્વેએ "મીડિયાના એક વર્ગમાં આ અહેવાલ આપ્યા છે કે મુસાફરોના ભાડામાં થોડો વધારો થવાની સંભાવના છે. આ સમાચાર પાયાવિહોણા અને તથ્યહીન છે. ભાડામાં વધારો થવાનો કોઈ વિચાર નથી. " ભારતીય રેલ્વેએ વધુમાં કહ્યું - મીડિયાને આવા સમાચારોને પ્રકાશિત અથવા પ્રસારિત ન કરવાની સલાહ આપવામાં આવે છે.
Certain sections of media have reported about possibility of some hike in passenger fares. This news is baseless & without any factual basis. There is no proposal under consideration to increase fares. Media is advised to not to publish or circulate such reports: Indian Railways
ટ્રેનો દોડતા પહેલા 6 જાન્યુઆરીથી ઘણી ટ્રેનોના ભાડામાં વધારો થવાનો છે. આ સાથે સીટ રિઝર્વેશન ફરજિયાત બનશે કારણ કે તેનાથી મુસાફરોની સંખ્યા પરનું દબાણ ઓછું થશે.માહિતી અનુસાર, તમામ ટિકિટના ભાવમાં 15 રૂપિયા રિઝર્વેશન ફીનો સમાવેશ કરવામાં આવશે. આરક્ષણ ઓનલાઇન અથવા ટિકિટ વિંડો દ્વારા કરી શકાય છે. જો કે હવે રેલવેના આ નિર્ણયથી રેલવે ટિકિટના ભાડાંમાં વધારો થવાની શક્યતા છે .