કસારા ઘાટની આ રેલ લાઈન દ્વારા મુંબઈથી ટ્રેનો યુપી-બિહાર અને અન્ય રાજ્યોમાં જાય છે.
મુંબઈનો સંપર્ક નાસિક અને યુપી બિહાર સહિત અમુક રાજ્યો સાથે તૂટી ગયો
ભારે વરસાદના કારણે ઘણી ટ્રેનો રદ
ભારે વરસાદના કારણે જળસ્તર ઉપર આવ્યું
મહારાષ્ટ્રના અમુક ભાગોમાં પાછલા થોડા દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ કારણે રસ્તાઓ પર વાહન વ્યવ્હારની સાથે જ રેલ યાત્રા પણ પ્રભાવિત થઈ રહી છે. મહારાષ્ટ્રના કસારા ઘાટમાં પણ ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થવાની ખબર સામે આવી છે. આ ભૂસ્ખલન અને ભારે વરસાદના કારણે મુંબઈના સંપર્ક નાસિક અને યુપી-બિહાર સહિત અમુક રાજ્યોમાંથી તૂટી ગયા છે. હકીકતે આ રેલ લાઈન દ્વારા ટ્રેન મુંબઈથી યુપી-બિહાર અને અન્ય રાજ્યોમાં જાય છે.
The following trains are Cancelled, Diverted and Short Terminated due to land slide in IGP- KYN & LNL - KYN Section OF Mumbai Division. pic.twitter.com/vHwf9MhvA6
ભારે વરસાદના કારણે જળસ્તર ઉપર આવ્યું
રેલના કોંકણ ખંડની તરફથી જાણકારી આપવામાં આવી છે કે ચિપલુન અને કમાથે રેલવે સ્ટેશનોની વચ્ચે વશિષ્ઠી નદી પર બનેલા પુલ પર ભારે વરસાદના કારણને જળસ્તર વધી ગયું છે. આ રત્નાગિરી સેક્શનમાં આવે છે. આ કારણે ખતરાને જોતા આ લાઈન પર યાત્રી ટ્રેનોનું સંચાલન અસ્થાયી રૂપથી બંધ કરવામાં આવ્યું છે.
The following trains are Cancelled, Diverted and Short Terminated due to, mud slide & suspected washout of track in KYN-KSRA Section. pic.twitter.com/0W3WTZ8Xq0
ભારે વરસાદના કારણે ઘણી ટ્રેનો રદ
ત્યાં જ મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે ઘણી ટ્રેનો રદ કરી દેવામાં આવી છે. તેનાથી અલગ અલગ રેલવે સ્ટેશનો પર મોટી સંખ્યામાં યાત્રી પણ ફસાયેલા છે. રેલવે આ બધા માટે ખાવા પીવાની વ્યવસ્થા કરી રહ્યું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બપોર બાદથી સેવા ફરી શરૂ થઈ શકે છે.