ભાજપના નેતા પંકજા મુંડેએ રાહુલ ગાંધી પર બરાબરના પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું છે કે, આજકાલ કોઈ પણ આવીને ઉભું રહી જાય છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સવાલ કરવા લાગે છે કે, સર્જિકલ સ્ટ્રાઈક ક્યાં થઈ, કેટલા લોકો માર્યા ગયા? પંકજા મુંડેએ કહ્યું હતું કે, સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માંગનારા રાહુલ ગાંધીના ગળામાં બોમ્બ બાંધીને પાકિસ્તાન મોકલી દેવા જોઈએ.
મહારાષ્ટ્રમાં ભાજપના નેતા પંકજા મુંડેએ રાહુલ ગાંધી પર વિવાદિત નિવેદન આપ્યું છે. ત્યારે તેમના નિવેદન પર ઈલેક્શન કમિશન પણ કાર્યવાહી હાથ ધરી શકે છે. પંકજા મુંડેએ એક રેલીને સંબોધન કરતા રાહુલને આડેહાથ લીધા હતા.
Maharashtra Min Pankaja Munde:We did surgical strike after cowardly attack on our soldiers.Some ppl ask what was surgical strike&what's the evidence?I say we should've attached a bomb to Rahul Gandhi&should have sent him to another country. Then they would have understood.(21.04) pic.twitter.com/KU96yAzoFD
પંકજા મુંડેએ કહ્યું કે, રાહુલ ગાંધીના ગળામાં બોમ્બ બાંધીને તેમને પાકિસ્તાન મોકલી દેવા જોઈએ. આજ કાલ કોઈ પણ ઊભું થઈને નરેન્દ્ર મોદીને સવાર કરે છે કે સર્જિકલ સ્ટ્રાઈક ક્યાં થઈ અને કેટલા લોકો મર્યા.
ત્યારે આ મામલો હવે ચૂંટણી પંચમાં પહોંચ્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ ચૂંટણી પંચને પંકજા મુંડેના ભાષણનો એક વીડિયો અને ટ્રાન્સસ્ક્રિપ્ટ પણ મોકલી આપ્યું છે. ચૂંટણી પંચ આ મામલે પંકજા મુંડે પર કાર્યવાહી કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2016માં જમ્મૂ-કાશ્મીરના ઉરીમાં સેનાના કેમ્પ પર આતંકીએ હુમલો થયો હતો. આ હુમલામાં સેનાના 20 જવાનો શહીદ થયાં હતાં. આ હુમલાના જવાબમાં ભારતે સપ્ટેમ્બર 2016માં પીઓકેમાં ઘુસીને સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી અને આતંકવાદી કેમ્પોનો ખાતમો બોલાવી દીધો હતો. ભારતની આ કાર્યવાહીને લઈને દેશની જ કોંગ્રેસ સહિતની રાજકીય પાર્ટીઓએ સવાલ ખડાં કર્યા હતાં. કોંગ્રેસ સહીતની પાર્ટીઓએ સર્જીકલ સ્ટ્રાઈક થઈ છે કે કેમ અને થઈ છે તો તેના અને તેમાં માર્યા ગયેલા આતંકીઓના પુરાવા માંગ્યા હતાં.