કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ખેડૂત મુદ્દે નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખીને કહ્યું કે ખેડૂતોના ટૂંકાગાળાની પાક લોનની ચુકવણી પરત કરવા માટે રાહત આપવામાં આવે.
ખેડૂત આંદોલન મુદ્દે રાહુલ ગાંધીની ભલામણ
રાહુલ ગાંધીએ નાણામંત્રીને લખ્યો ખાસ પત્ર
ખેડૂતોના ટૂંકાગાળાની પાક લોનની ચુકવણી પરત કરવામાં રાહતની કરી માંગણી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખીને માંગણી કરી કે તેમની પાસેથી ખેડૂતો દ્વારા લેવાયેલા ટૂંકાગાળાની પાક લોનની ચૂકવણીની સીમાને 31 ડિસેમ્બર 2021 સુધી વધારી આપવામાં આવે, ગાંધીએ આ લોનની ચૂકવણી પર દંડાત્મક વ્યાજની પણ છૂટ માંગી છે. તેઓએ કહ્યું કે કોરોના વાયરસના કારણે દેશના ખેડૂતો આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે.
ખાસ કરીને કેરળને ફોકસ કરીને રાહુલ ગાંધીએ કહી આ વાત
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કહ્યું કે કેરળમાં વાયનાડમાં મોટી સંખ્યામાં નાના અને હાશિયા પર રહેતા ખેડૂતો રહે છે. તેઓએ કહ્યું કે કેરળનો મોટો ભાગ 2018 અને 2019માં પૂરમાં ખતમ થઈ ચૂક્યો છે. ગાંધીએ કહ્યું કે ખેડૂતો તેનાથી બાહર આવ્યા કે કોરોના મહામારીએ તેમને ઝપેટમાં લીધા. જેનાથી તેમની મુશ્કેલીઓ વધી છે. હાલમાં ખેડૂતોને વ્યાજમાં છૂટ યોજનાના આધારે થોડા પ્રમાણમાં પાક લોનની ચૂકવણી કરવી પડે છે. આ સાથે લોકડાઉન જેવા કારણોને લીધે પણ ખેડૂતોની આવક પર અસર થઈ છે. વધતા ઉધારના કારણે આર્થિક અનિશ્ચિતતાની સાથે ખેડૂતો એ સ્થિતિમાં નથી કે તેઓ લોનની ચૂકવણી કરી શકે.
આખા ભારતમાં ખેડૂતોની સ્થિતિ આવી છેઃ રાહુલ ગાંધી
તેઓએ કહ્યું કે તેમના ચૂંટણી વિસ્તારના લોકો અને સંગઠનોથી માહિતિ મળી રહી છે તેમાં અલ્પકાલીન લોનની ચૂકવણીને લઈને થોડી શક્યતા નથી. તેમાં છૂટ મળે તે યોગ્ય છે. તેઓએ માંગણી કરી છે કે ખેડૂતોની આ લોનને 31 ડિસેમ્બર 2021 સુધી વધારી આપવામાં આવે. અને સાથે જ તેની પર લાગતા વ્યાજને પણ માફ કરવાની અપીલ કરી છે.