આ રાજ્યમાં ચાર વખત ધારાસભ્ય બનેલા રૂપજ્યોતિ કુર્મીએ રાજીનામું આપ્યું
કોંગ્રેસને મોટો ઝાટકો
ચાર વખત ધારાસભ્ય બનેલા રૂપજ્યોતિ કુર્મીએ રાજીનામાની કરી જાહેરાત
રાહુલ ગાંધી છે ત્યાં સુધી પાર્ટી આગળ નહીં વધે: રૂપજ્યોતિ કુર્મી
અસમથી ચાર વખતથી વધારે ધારાસભ્ય બનેલા રૂપજ્યોતિ કુર્મીએ રાજીનામાની જાહેરાત કરતા કોંગ્રેસને મોટો ઝાટકો આપ્યો છે. રૂપજ્યોતિ કુર્મી ભાજપમાં જોડાય તેવી અટકળો લાગાવવામાં આવી રહી છે. જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદે કોંગ્રેસનો હાથ છોડીને કેસરીયો ધારણ કર્યો હતો અને નવીન જિંદલની પણ પાર્ટી છોડવાની ખબરો ચર્ચામાં છે.
વૃદ્ધ નેતાઓને આપવામાં આવે છે પ્રાથમિકતા
કોંગ્રેસ પાર્ટી છોડ્યાનું કારણ જણાવતા રૂપજ્યોતિ કુર્મીએ કહ્યું, "હું કોંગ્રેસ છોડી રહ્યો છું. દિલ્હી અને ગુવાહાટીમાં હાઈકમાનના નેતા વૃદ્ધ નેતાઓને જ પ્રાથમિકતા આપે છે. અમે તેમને કહ્યું હતું કે કોંગ્રેસની પાસે આ વખતે સત્તામાં આવવાની સારી તક છે. આપણે એઆઈયુડીએફની સાથે ગઠબંધન ન કરવું જોઈએ. કારણ કે આ એક મોટી ભૂલ સાબિત થશે. હવે જોઈ લો પરિણામ બધાની સામે છે."
I'm leaving Congress as High Command in Delhi & Guwahati leaders give priority to elderly leaders only. We'd told them Congress has good chance of coming to power this time & we shouldn't forge alliance with AIUDF as it would be a mistake. It indeed was: Assam MLA Rupjyoti Kurmi pic.twitter.com/kknIWOHUzM
રાહુલ ગાંધી છે ત્યાં સુધી પાર્ટી આગળ નહીં આવે
રાહુલ ગાંધીને નબળા નેતા ગણાવતા તેમણે જણાવ્યું કે કોંગ્રેસ પોતાના યુવા નેતાઓનું નથી સાંભળતી માટે દરેક રાજ્યોમાં તેની સ્થિતિ ખરાબ થતી જઈ રહી છે. હું વિધાનસભા અધ્યક્ષને મળીશ અને પોતાનું રાજીનામું આપીશ. જ્યાં સુધી રાહુલ ગાંધીનો પ્રશ્ન છે. તે પાર્ટી નેતૃત્વ કરવામાં અસમર્થ છે. જો તે મુખ્ય સ્થાને છે તો પાર્ટી આગળ નહીં વધી શકે.