ભારતમાં વધતી મોંઘવારી મુદ્દે મોદી સરકાર ઘેરાઈ રહી છે ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સવાલ પૂછ્યો છે.
પેટ્રોલ-ડીઝલ તથા ગેસના ભાવમાં સતત વધારો
રાહુલ ગાંધીએ સરકારને પૂછ્યો સવાલ
સરકાર પર લૂંટનો લગાવ્યો આરોપ
મોંઘવારી મુદ્દે ઘેરાઈ સરકાર
મોંઘવારી અને બેરોજગારી મુદ્દે વિપક્ષ સતત સરકારથી સવાલો પૂછી રહ્યું છે અને પેટ્રોલ-ડીઝલના ભાવ પર તો કેન્દ્ર સરકારના મંત્રીઓ પણ જવાબ આપવાથી બચી રહ્યા છે. અમદાવાદમાં જ જ્યારે નાણામંત્રીને પેટ્રોલ પર સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું હતું કે ધર્મસંકટ. સરકાર મોંઘવારીમાં મુદ્દે ઘેરાઈ રહી છે ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સરકાર પર હુમલો કર્યો છે.
મોંઘવારી પર રાહુલ ગાંધીનો સવાલ
રાહુલ ગાંધી ટ્વિટર ખૂબ એક્ટિવ રહે છે અને સતત ટ્વિટના માધ્યમથી સરકારથી સવાલો કરે છે ત્યારે શનિવારે તેમણે સરકાર પર લૂંટનો આરોપ લગાવ્યો. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે શું કોઈ એવી જગ્યા બચી છે જ્યાં રોજબરોજની ચીજવસ્તુઓ મળતી હોય અને ત્યાં જઈને એવું ન લાગે કે સરકાર તમને લૂંટી રહી છે? આ પહેલા શુક્રવારે પણ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે રોજગાર બંધ, મોંઘવારી બુલંદ પણ સરકાર મસ્ત, આંખો બંધ.
ગેસ-ઈંધણના ભાવ મુદ્દે કોંગ્રેસ સરકાર પર ગરમ
નોંધનીય છે કે હાલમાં જ કોંગ્રેસે મોદી સરકારને ઘેરવા માટે દિલ્હીમાં ગેસ સિલિન્ડર સાથે પત્રકાર પરિષદ યોજી હતી અને સરકાર સામે સવાલો પૂછ્યા હતા. કોંગ્રેસે કહ્યું હતું કે સરકારને શરમ આવવી જોઈએ, આખું અર્થતંત્ર ઠપ થઈ ગયું છે. સરકાર કમરતોડ મોંઘવારીથી લોકો પર પ્રહાર કરી રહી છે.