કોરોના વાયરસના સંકટ વચ્ચે દેશમાં રોજગારી પર તેની સૌથી વધુ અસર જોવા મળી છે. પ્રવાસી શ્રમિકો શહેર છોડીને પોતાના વતન પરત જવુ પડ્યું પરંતુ રોજગારનું સંકટ યથાવત છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે ટ્વિટ કરી આ મુદ્દો ઉઠાવ્યો છે. આ સાથે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને ન્યાય યોજના લાગુ કરવા જણાવ્યું છે.
રાહુલ ગાંધીએ ટ્વિટ કરી લખ્યું છે કે શહેરમાં બેરોજગારીથી પીડિતો માટે MGNREGA જેવી યોજના અને દેશભરના ગરીબો માટે NYAY લાગુ કરવું આવશ્યક છે. આ અર્થવ્યવસ્થા માટે ઘણું ફાયદાકારક રહેશે. શું શૂટ-બૂટની સરકાર ગરીબોનું દર્દ સમજી શકશે?
शहर में बेरोज़गारी की मार से पीड़ितों के लिए MGNREGA जैसी योजना और देशभर के ग़रीब वर्ग के लिए NYAY लागू करना आवश्यक हैं। ये अर्थव्यवस्था के लिए भी बहुत फ़ायदेमंद होगा।
રાહુલ ગાંધીએ આ ટ્વિટની સાથે એક ચાર્ટ પર રજૂ કર્યો છે, જેમાં દેખાડવામાં આવ્યું છે કે કેવી રીતે છેલ્લા થોડા સમયમાં મનરેગાની માગ વધી છે. ખરેખર તો પ્રવાસી શ્રમિક શહેર છોડીને પોતાના વતન પરત ફરી રહ્યાં છે તેમને અલગ-અલગ યોજનાઓ હેઠળ મનરેગાનું કામ આપવામાં આવી રહ્યું છે. આ માટે અલગ-અલગ રાજ્યો દ્વારા સ્કિલ મેપિંગ કરવામાં આવી છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ પહેલા પણ મોદી સરકાર પર નિશાન સાધતા રહ્યાં છે. આ રાહુલ ગાંધી મનરેગાનો સાચો ઉપયોગ કરવાની માગણી કરતા આવ્યાં છે. જ્યારે કોંગ્રેસે માગ કરી છે ગરીબ પરીવારોનો સરકાર તરફથી આર્થિક મદદ મળે, શ્રમિકોને 6 મહિના સુધી 7500 રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવે.
રાહુલ ગાંધી તરફથી રોજગારીના મુદ્દા પર દરરોજ સવાલ ઉભા કરવામાં આવે છે. ગત દિવસોમાં જ્યારે યૂથ કોંગ્રેસે રોજગારીને લઇને બે કેમ્પેઇન ચલાવ્યું હતું, ત્યારે રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન તાક્યું હતું. રાહુલ ગાંધીએ વીડિયોમાં જણાવ્યું હતું કે સરકાર દર વર્ષે 2 કરોલ રોજગારી આપવાનું વચન આપ્યું હતું, પરંતુ હજી સુધી 14 કરોડ લોકોની રોજગારી છીનવી ચૂક્યાં છે.