કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર અલગ-અલગ મુદ્દાઓ પર નિશાન તાક્યું છે. કોરોના વાયરસ, ખેડૂત આંદોલન, અર્થવ્યવસ્થા સહિત કેટલાંક વિષયને લઇને કેન્દ્ર સરકારની ટીકા કરી છે.
રાહુલ ગાંધીએ ગુરુવારના રોજ ટ્વિટ કરી કહ્યું, '23,78,76,00,00,000 રુપિયાની લોન આ વર્ષે મોદી સરકારે કેટલાક ઉદ્યોગપતિઓની માફ કરી છે. આ રકમથી કોવિડની મુશ્કેલીના સમયમાં 11 કરોડ પરિવારને 20,000-20,000 રૂપિયા આપી શકાયા હતા. આ છે મોદીજીના વિકાસની અસલિયત!
“15 lakh in every bank account & 2 crore jobs every year”
"Give me 50 days time, else..."
"We will win war against Corona in 21 days"
"Neither has anyone intruded into our territory nor took over any post”
Farmers don’t trust Modi ji due to his long history of ‘asatyagraha’.
આ પહેલા બુધવારના રોજ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન તાકતા કહ્યું હતું કે પીએમ મોદીના 'અસત્યાગ્રહ' નો લાંબા ઇતિહાસના કારણે ખેડૂતોને હવે તેમના પર ભરોસો રહ્યો નથી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે દરેક બેંક ખાતામાં 15 લાખ અને દર વર્ષે 2 કરોડ નોકરી આપવાનું વચન આપ્યું હતું તેનું શું થયું.
કોંગ્રેસ નેતાએ કહ્યું કે PM મોદી કહ્યું હતું કે મને 50 દિવસનો સમય આપો બધુ ઠીપીએમ મોદી કરી દઇશ. પીએમ મોદીએ કહ્યું હતું કે અમે 21 દિવસમાં કોરોનાની સામે યુદ્ધ જીતીશું પરંતુ શું આ શક્ય બન્યું. પીએમ મોદીએ કહ્યું હતું કે ન તો કોઇ આપણી ધરતીમાં ધુસણખોરી કરી છે અને ન કોઇ કરી શકશે. પીએમ મોદીનો ખોટુ બોલવાના લાંબા ઇતિહાસના કારણે તેમના પર ભરોસો રહ્યો નથી.