કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ફરી એકવાર ખેડૂત આંદોલન અને પેટ્રોલ ડીઝલની કિંમતોને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું, માઈક્રો બ્લોગીંગ સાઈટ ટ્વીટર પર એક પોસ્ટ શેર કરતા તેમણે કહ્યું હતું કે," મોદી સરકાર હવે તો લૂંટ બંધ કરો".
રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કર્યા પ્રહાર
ટ્વિટર પર પોસ્ટ શેર કરીને કહ્યું," હવે પાણી માથા ઉપરથી વહી રહ્યું છે"
નીતિ આયોગના CEO પર પણ સાધ્યું હતું નિશાન
મોદી સરકાર પર પ્રહાર કરતા રાહુલ ગાંધી એ કહ્યું હતું કે," આંદોલન કરતા ખેડૂત હોય, કે જનતા પર મોંઘવારીની માર પડતી હોય, પેટ્રોલ - ડીઝલ પણ જયાં લોકોની ક્ષમતાથી બહાર થઇ રહયા છે, ત્યારે હવે પાણી માથા ઉપરથી જઈ રહ્યું છે, માટે મોદી સરકારે લૂંટ બંધ કરવી જોઈએ." ઉલ્લેખનિય છે કે છેલ્લા કેટલાય દિવસોથી દિલ્હીની સરહદ પર આંદોલનકારી ખેડૂતો એ પોતાનું સ્થાન જમાવ્યું છે અને તેમને કોંગ્રેસ સહિતના ઘણા વિપક્ષી પાર્ટીઓનો ટેકો મળ્યો છે.
आंदोलन करते किसान हों, या जनता पर महँगाई की मार, पेट्रोल-डीज़ल भी पहुँच से बाहर, अब पानी हो गया सर से पार,
નોંધનીય છે કે આ પહેલા પણ રાહુલ ગાંધી એ તેમની એક ટ્વીટ દ્વારા નીતિ આયોગના સીઇઓના નિવેદન પર નિશાન સાધ્યું હતું.નીતિ આયોગના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અમિતાભ કાંતે મંગળવારે કહ્યું હતું કે ભારતમાં 'બહુ લોકશાહી' છે, જેના કારણે અહીં કડક સુધારાઓને અમલમાં મૂકવું મુશ્કેલ છે.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી એ બુધવારે સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે તેઓ લોકશાહીથી છૂટકારો મેળવવા માગે છે. તેમણે ટ્વિટર પર દાવો કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં સુધારો ચોરી જેવો થઈ ગયો છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે, " મિસ્ટર મોદીના કાર્યકાળમાં સુધારો ચોરી કરવા જેવો છે. તેથી, તેઓ લોકશાહીથી છૂટકારો મેળવવા માગે છે.
ભારતમાં વધુ પડતી લોકશાહી છે, માટે સુધારાઓ અમલમાં મૂકવા મુશ્કેલ છે : અમિતાભ કાંત, સીઇઓ નીતિ આયોગ
નીતિ આયોગ ના સીઇઓ અમિતાભ કાંતે મંગળવારે ડિજિટલ પ્રોગ્રામમાં નિવેદન આપ્યા બાદ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું. નીતિ આયોગ ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર CEO અમિતાભ કાંતે મંગળવારે કહ્યું હતું કે ભારતમાં 'વધારે પડતી લોકશાહી' છે, જેના કારણે અહીં સખત સુધારા અમલમાં મૂકવું મુશ્કેલ છે.
વધુમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશને સ્પર્ધાત્મક બનાવવા માટે મોટા સુધારાની જરૂર છે. વીડિયો કોન્ફરન્સ દ્વારા સ્વરાજ્ય પત્રિકાના કાર્યક્રમને સંબોધતા અમિતાભ કાંતે જણાવ્યું હતું કે પ્રથમ વખત કેન્દ્ર સરકારે ખાણકામ, કોલસો, મજૂર, કૃષિ સહિત વિવિધ ક્ષેત્રોમાં કડક સુધારા કર્યા છે. હવે રાજ્યોએ સુધારાના આગલા તબક્કાને આગળ વધારવું જોઈએ.