કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્રીય કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડુતોની 'દિલ્હી ચલો' કૂચની પૃષ્ઠભૂમિમાં દાવો કર્યો હતો કે દેશના તમામ ખેડૂત કેન્દ્ર સરકારની ક્રૂરતા સામે અડગ ઊભા છે. આ મુદ્દે તેમણે ટ્વિટર પર એક વિડીયો શેર કરીને કવિતા પણ લખી હતી.
રાહુલ ગાંધીએ મોદી સરકાર પર સાધ્યું નિશાન
ખેડૂત પ્રદર્શનોના મુદ્દે સાધ્યું નિશાન
ખેડૂતોને રોકવાનો વિડીયો શેર કરીને કહ્યું," ખેડૂત અડગ છે"
હરિયાણા પંજાબના માર્ગેથી કેન્દ્રીય કૃષિ કાયદાઓનો વિરોધ કરી દિલ્હી પ્રવેશની કોશિશ કરી રહેલા ખેડૂતો પર વોટર કેનનનો મારો ચલાવાયો હતો. આ ખેડૂતો દિલ્હી પ્રવેશની કોશિશ કરી રહ્યા છે ત્યારે તેમને રોકવા માટે તંત્ર દ્વારા હરિયાણા બોર્ડર પર વોટર કેનનનો મારો ચલાવાયો હતો જેનો વિડીયો શેર કરીને રાહુલ ગાંધીએ મોદી સરકારની ટીકા કરી હતી.
नहीं हुआ है अभी सवेरा,
पूरब की लाली पहचान
चिड़ियों के जगने से पहले,
खाट छोड़ उठ गया किसान
काले क़ानूनों के बादल गरज रहे गड़-गड़,
अन्याय की बिजली चमकती चम-चम
मूसलाधार बरसता पानी,
ज़रा ना रुकता लेता दम!
નોંધનીય છે કે આ મુદ્દે રાહુલ ગાંધી પહેલા પણ ઘણી વાર મોદી સરકાર પર નિશાન સાધી ચૂક્યા છે અને આ માટે તેમણે તેમના પંજાબ અને હરિયાણા પ્રવાસ વખતે ખેતી બચાવો ટ્રેક્ટર રેલી પણ કરી હતી જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો સામેલ થયા હતા. આ મુદ્દે યોજાયેલી એક વિરોધ સભામાં રાહુલ ગાંધીએ પ્રવચન કરતાં કહ્યું હતું કે "જો કોંગ્રેસની સરકાર આવશે તો આ કાયદાઓને દૂર કરવામાં આવશે."
ખેડૂતોની 'દિલ્હી ચલો માર્ચ'
મહત્વનું છે કે પંજાબના ઘણા ખેડૂતો કેન્દ્રના કૃષિ કાયદાની વિરુદ્ધ 'દિલ્હી ચલો માર્ચ' અંતર્ગત રાષ્ટ્રીય રાજધાની પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ જોતા હરિયાણાએ પંજાબ સાથેની તેની તમામ સરહદોને સંપૂર્ણપણે સીલ કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે આ કાયદાઓ જ્યારથી લોકસભા ને રાજ્યસભાથી પસાર થયા ત્યારથી વિવાદનું કેન્દ્ર રહ્યા છે, આ કાયદાઓને લઈને ખાસ્સી રાજનીતિ પણ થઈ ચૂકી છે, ભાજપના સૌથી જૂના સાથી પૈકીના એક એવા શિરોમણી અકાલી દળે આ મુદ્દે NDA માંથી અલગ થવાનો નિર્ણય લીધો હતો અને તેમના મંત્રી હરસિમરત કૌર બાદલે મોદી કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું. આજે અકાલી દળે આ ખેડૂત માર્ચને રોકવાને લઈને કહ્યું હતું કે આ ખેડૂતોનું 26/11 છે.