કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજરોજ ધરમપુરમાં લાલ ડુંગરી મેદાન ખાતે જનસભાને સંબોધન કરવા ગુજરાતની એક દિવસીય ચૂંટણી મુલાકાતે આવી પહોંચ્યા છે. રાહુલ ગાંધીનું સુરત એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ધરમપુરના ઐતિહાસિક લાલ ડુંગરી ખાતે સભાને સંબોધન કરશે. આ સભા સ્થળ પર હજારોની સંખ્યામાં લોકો ઉમટયા છે. કોંગ્રેસ માટે આ લાલ ડુંગરી મેદાન કોંગ્રેસ માટે શુકનવંતુ માનવામાં આવે છે.
વલસાડના ધરમપુરમાં યોજાનારી રાહુલ ગાંધીની મહાસભાને લઇને કોંગ્રેસના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. જેમાં કોંગ્રેસના કાર્યકરો રાહુલ ગાંધીના માસ્ક પહેલી ડુંગરી મેદાનમાં આવી પહોંચ્યા હતા. લાલ ડુંગરી ખાતે કોંગ્રેસ કાર્યકરો દ્વારા પીએમ મોદી વિરોધી નારા લગાવતા જોવા મળ્યાં હતા.
મહત્વનું છે કે લાલ ડુંગરી મેદાન કોંગ્રેસ નસીબદાર માનવામાં આવે છે. કારણ કે જ્યારે જ્યારે કોંગ્રેસ સત્તાથી દૂર ગઈ છે અને તેના પછીની ચૂંટણીમાં આ મેદાન પરથી સભા સંબોધે છે ત્યારે જીત મેળવે છે. અગાઉ ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીએ અહીંથી સભા સંબોધી હતી અને ત્રણેય વખતે કોંગ્રેસે કેન્દ્રમાં સત્તા મેળવી હતી.
વલસાડના ધરમપુરમાં સભા પહેલા જ કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘેરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. જેમાં સભા સ્થળે રાફેલ એક પ્રેમકથાના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરમાં નરેન્દ્ર મોદી અને અનિલ અંબાણી ગળે મળતા દેખાઈ રહ્યા છે.
આ પોસ્ટરમાં યે દોસ્તી હમ નહિ તોડેંગે પણ લખવામાં આવ્યુ છે. સાથે જ પોસ્ટરમાં 1 લાખ 30 હજાર કરોડનુ કૌભાંડ કરવામાં આવ્યુ હોવાનો ઉલ્લેક કરવામાં આવ્યો છે. મહત્વનુ છે કે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ દ્વારા રાફેલ મુદ્દે ભાજપ પર પ્રહાર કરવામાં આવે છે.
હવે રાફેલ મામલે સરકારને ઘેરવા માટે યુથ કોંગ્રેસ દ્વારા પોસ્ટર્સ લગાવવામાં આવ્યા હતા. મહત્વનુ છે કે બુધવારે રાફેલ અંગે લોકસભામાં રિપોર્ટ રજૂ થયો હતો. આ રિપોર્ટમાં યુપીએ કરતા એનડીએ દ્વારા સસ્તો સોદો કરવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ બાદ હવે ફરી એક વખત કોંગ્રેસ રાફેલ મુદ્દે ભાજપને ઘેરવાના પ્રયાસ કર્યા છે.