લોકસભા ચૂંટણીના પરિણામ બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી શનિવારે કેરલના પોતાના સંસદીય ક્ષેત્ર વાયનાડ પહોંચ્યા હતા. પોતાના પ્રવાસની બીજા દિવસે રાહુલ ગાંધીએ રવિવારે કોઝીકોડમાં રોડ શો કર્યો હતો. રાહુલ ગાંધીએ આ દરમિયાન કહ્યું કે, ગત બે દિવસમાં તમે જેટલો પ્રેમ આપ્યો છે તેને જોઇને એવું લાગી રહ્યું છે કે હું અહીંયા જન્મથી રહું છું.
રાહુલ ગાંધીએ અહીં એ નર્સ રાજમ્મા સાથે પણ મુલાકાત કરી જે તેમના જન્મ સમયે ઉપસ્થિત હતા. રવિવારે રાહુલ ગાંધીને મળીને રાજમ્મા ઘણા ભાવુક થઇ ગયા હતા. જે સમયે રાહુલ ગાંધીએ વાયનાડથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો ત્યારથી રિટાયર્ડ નર્સ રાજમ્મા વવાથિલે ઘણી ખુશી વ્યક્ત કરી હતી.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કેરળની મુલકાતે છે. ગઈ કાલે વાયનાડમાં રાહુલ ગાંધીએ રોડ શો યોજ્યો હતો ત્યારે આજે પણ રાહુલ ગાંધીએ કેરળના કોઝીકોડેમાં રોડ શો યોજ્યો છે. રાહુલ ગાંધીના રોડ શોમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના સમર્થકો ઉમટ્યા હતા.
— Rahul Gandhi - Wayanad (@RGWayanadOffice) June 9, 2019
રાહુલ ગાંધીએ અહીં રેલીને સંબોધન દરમિયાન ફરીથી પીએમ મોદી પર પ્રહાર કરતા કહ્યું કે, પીએમ મોદી કેરળ સાથે યૂપી જેવું વર્તન નહીં કરે. ભાજપ ગુસ્સો અને નફરતનું રાજકારણ કરે છે. ભાજપ અને પીએમ મોદી પાસેથી કોઈ પણ જાતની આશા રાખી શકાય નહીં.
— Rahul Gandhi - Wayanad (@RGWayanadOffice) June 9, 2019
ઉલ્લેખનીય છે કે ગઈ કાલે પણ રાહુલ ગાંધીએ વાયનાડમાં યોજેલા રોડશોમાં પીએમ મોદી પર આકરા પ્રહાર કરતા કહ્યું હતુ કે, પીએમ મોદી નફરતનું ઝેર ફેલાવીને દેશને વહેંચી રહ્યા છે. જો કે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પણ રાહુલ ગાંધીને આડે હાથ લેતા વળતો જવાબ આપ્યો કે કોંગ્રેસને ડૂબાડીને પણ રાહુલ ગાંધી સુધરતા નથી.