કોરોના વાયરસ સંકટની વચ્ચે વિપક્ષ દેશના અર્થતંત્રને લઈને સરકાર પર સતત હુમલો કરી રહ્યું છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આ માટે સતત મોદી સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. તેઓ નિષ્ણાતો સાથે વાત કરી અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાની વાત કરી રહ્યા છે. આ સિરિઝમાં તેમણે ગુરુવારે બજાજ ઓટોના મેનેજિંગ ડિરેક્ટર રાજીવ બજાજ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાત કરી છે.
રાજીવ બજાજે કહ્યું કે આપણા ત્યાં એવું લોકડાઉન જે બીજે ક્યાંય નહોતુ
ભારતમાં એક પ્રકારનું ડ્રૈકિયન લોકડાઉન છે
મજુરોને 6 મહિના સુધી પૈસા આપવામાં આવે જેથી માર્કેટમાં ડિમાન્ડ વધે
વાતચીત દરમિયાન રાહુલ ગાંધીએ પૂછ્યું કે આપને ત્યા સ્થિતિ કેવી છે. જેના પર બજાજે કહ્યું કે દરેક માટે એક નવું વાતાવરણ છે. અમે તેમાં ઢળવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. દરમિયાન ધંધામાં ઘણું બધું થઈ રહ્યું છે.
ગાંધીએ પૂછ્યું હતુ કે કોઈએ વિચાર્યું ન હતું કે આખા વિશ્વમાં લોકડાઉન થશે. આવું વિશ્વ યુદ્ધ સમયે પણ બન્યું ન હતુ. જેના જવાબમાં રાજીવ બજાજે કહ્યું હતું કે ભારતમાં એક પ્રકારનું ડ્રૈકિયન લોકડાઉન છે. આવું ક્યાંય પણ નથી થયું. આપણે ત્યાની સરખામણીમાં ઘણા દેશોમાં બહાર નિકળવાની મંજૂરી આપવામાં આવી હતી.
કોંગ્રેસ નેતાએ કહ્યું કે કેટલાક લોકો એવા છે જે આને પહોંચી વળી શકે તેમ છે, પરંતુ કરોડો મજરો એવા છે જેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. તેના જવાબમાં બજાજે કહ્યું કે ભારતે પશ્ચિમ તરફ જોયું. પણ પૂર્વી દેશોમાં આના પર સારું કામ થયું છે. પૂર્વી દેશોએ તાપમાન, તબીબી સહિતની તમામ મુશ્કેલીઓ છતાં સારું કામ કર્યુ છે. એવી કોઈ તબીબી સુવિધાઓ નથી કે જે આને પહોંચી વળવામાં સક્ષમ હોય.
મને લાગે છે કે આપણે ત્યાં વાસ્તવિક્તા અને સત્યનો અભાવ રહ્યો છે. લોકોને લાગે છે કે આ બિમારી કેન્સર જેવી છે. લોકોની વિચારસરણી બદલવાની અને જીવનને પાટા પર લાવવાની જરૂર છે. આમાં લાંબો સમય લાગી શકે છે. સામાન્ય માણસના દ્રષ્ટિકોણથી લોકડાઉન ઘણું મુશ્કેલ છે. ભારત જેવું લોકડાઉન ક્યાંય નથી થયું. દરેક એક વચ્ચેનો રસ્તો શોધવા માંગે છે. આપણે જાપાન અને સ્વીડન જેવી નીતિ અપનાવી જોઈતી હતી. ત્યાં નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે, પરંતુ લોકોનું જીવન મુશ્કેલ બનાવવામાં નથી આવ્યું.
રાહુલે કહ્યું કે આપણે ત્યાં પરપ્રાંતિય મજૂરો છે પરંતુ આપણે પશ્ચિમ તરફ જોતા રહ્યા. આપણે આપણી પોતાની મુશ્કેલીઓ કેમ નથી જોતા? આ અંગે બજાજ ઓટોના એમડીએ કહ્યું કે જો તમે માર્ચમાં પાછા જાઓ તો ત્રણ મહિના પહેલા તમે શું વિચારતા?
રાહુલે કહ્યું કે અમારી ચર્ચા રાજ્યોને શક્તિ આપવા અને કેન્દ્ર સરકારને ટેકો આપવા અંગે છે. કેન્દ્ર સરકારે મુખ્યમંત્રી અને જિલ્લા મેજિસ્ટ્રેટ રેલવે- વિમાન સેવાઓ પર જમીન પરની લડાઈ લડવી જોઈતી હતી. મને લાગે છે કે લોકડાઉન નિષ્ફળ છે. ભારતે બે મહિના પહેલા પોઝ બટન દબાવ્યું હતુ. હવે કેન્દ્ર સરકાર પીછેહઠ કરી રહી છે.
વાતચીત દરમિયાન બજાજે કહ્યું કે, જો કોઈ માસ્ક નથી પહેરી રહ્યું તો રસ્તામાં તેનું અપમાન કરવામાં આવી રહ્યું છે જે ખોટું છે. આજે વિશ્વની સરકારો સામાન્ય લોકોની સીધી સહાય કરી રહી છે. ભારતમાં સરકાર દ્વારા સામાન્ય લોકોના હાથમાં પૈસા આપવામાં આવતા નથી આવ્યા.
રાહુલ ગાંધીએ કહ્યું કે મને સમજાતુ નથી કે સરકાર લોકોના હાથમાં પૈસા કેમ નથી આપી રહી. રાજનીતિને ભૂલી જાવ પણ અત્યારે લોકોના હાથમાં પૈસા આપવાની જરુર છે. સરકારના માણસે મને કહ્યું કે આ સમયે ચીનની સરખામણીએ ભારત સામા ઘણી તકો છે. પરંતુ આપણે મજુરોને પૈસા આપીશું તો તે બગડી જશે કામ નહીં કરે. આપણે પછી તેમને પૈસા આપી શકીએ છીએ આ પ્રકારની વાતો તેમણે કહી હતી. જવાબમાં રાજીવ બજાજે કહ્યું કે ભારત સમસ્યાઓથી બચી શકતો નથી. પોતાને બહાર કાઢવો પડશે. મજુરોને 6 મહિના સુધી પૈસા આપવામાં આવે જેથી માર્કેટમાં ડિમાન્ડ વધે.