પ્રવાસી શ્રમિકો પછી હવે કેન્દ્રની મોદી સરકાર કોરોના વાયરસ મહામારી દરમિયાન જીવ ગુમાવનાર ડોકટર અને મેડીકલ સ્ટાફ મામલે ઘેરાતી જોવા મળી રહી છે. આ મામલાને લઇને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન તાક્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું મોદી સરકાર પોતાના વિરોધી આંકડા છુપાવી રહી છે, થાળી-તાળી કરતાં સન્માન અને સુરક્ષા જરૂરી છે.
રાહુલ ગાંધીએ કોરોના વોરિયર્સ મુદ્દે સરકારને ઘેરી
કોરોના વોરિયર્સના મૃત્યુના ડેટા અંગે સાધ્યું નિશાન
મોદી સરકાર પોતાના વિરોધી આંકડા છુપાવી રહી છે
રાહુલ ગાંધીએ આજે ફરી એક વખત ટ્વિટ કરી મોદી સરકાર પર નિશાન તાક્યું છે. ગત વખતે પ્રવાસી શ્રમિકોના મૃત્યુંના આંકડાઓને લઇને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. ત્યારે હવે રાહુલ ગાંધીએ કોરોના વોરિયર્સના મૃત્યુના ડેટાને લઇને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.
प्रतिकूल डाटा-मुक्त मोदी सरकार!
थाली बजाने, दिया जलाने से ज़्यादा ज़रूरी हैं उनकी सुरक्षा और सम्मान।
રાહુલ ગાંધીએ કહ્યું કે મોદી સરકાર પોતાના વિરોધી આકંડાઓ છુપાવી રહી છે. થાળી-તાળી કરતા સન્માન અને સુરક્ષા જરૂરી છે. મોદી સરકાર કોરોના વોરિયર્સનું અપમાન કરી રહી છે.
રાહુલ ગાંધીએ રાજ્યસભામાં મોદી સરકાર દ્વારા આપવામાં આવેલા નિવેદનને જોડી પોતાના ટ્વિટર પરથી શેર કરતાં કહ્યું, પ્રતિકૂળ ડાટા-મુક્ત મોદી સરકાર! થાલી બજાને, દિયા જલાને સે જ્યાદા જરૂરી હે ઉનકી સુરક્ષા ઓર સન્માન. મોદી સરકાર, કોરોના વોરિઅર કા ઇતના અપમાન ક્યો?
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે સરકારે કોરોના વોરિયર્સના મૃત્યુનાં આંકડા ન હોવા અંગે જણાવ્યું હતું. IMAએ શહીદ કોરોના વોરિયર્સની યાદી જારી કરી હતી.