દેશની વિદેશનીતિને લઈને શનિવારે વિદેશમંત્રી એસ જયશંકર અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની વચ્ચે એક સંસદીય કન્સલ્ટેટિવ કમિટીની બેઠક યોજાઇ. જેમાં રાહુલ ગાંધીએ ચીન અને પાકિસ્તાનની સાથે ભારતની ગ્લોબલ રણનીતિને લઈને પણ પ્રશ્નો કર્યા હતા. આ બેઠકમાં શશિ થરૂર અને શિવસેનાની પ્રિયંકા ચતુર્વેદી પણ હાજર હતી.
સંસદીય કન્સલ્ટેટિવ કમિટીની બેઠક યોજાઇ
બેઠકમાં રાહુલ ગાંધીએ કર્યા સવાલ
ચીન અને પાકિસ્તાનને લઇ સવાલ કર્યા
ભારતની ગ્લોબલ રણનીતિને લઇને પણ સવાલ કર્યા
બેઠકમાં વિદેશમંત્રી એસ જયશંકરે ભારતની વિદેશનીતિને લઈને એક કલાકનું પ્રેઝન્ટેશન આપ્યું હતું. આ પછી અહીં હાજર નેતાઓની સાથે સવાલ જવાબ કરાયા તે સમયે રાહુલ ગાંઘીએ જયશંકરને કહ્યું કે તેમને ચીન સાથે મુકાબલો કરવા માટે જે વાતોનો ઉલ્લેખ કર્યો છે તે કોઈ લોન્ડ્રી લિસ્ટની જેવું છે. ન તો કોઈ પ્રોપર રણનીતિ છે. રાહુલની આ ટિપ્પણી બાદ જયશંકરે કહ્યું કે કોઈ પણ બહુધ્રૂવીય વિશ્વ કે બહુધ્રુવીય મહાદેશ પહેલાં તેની સામે લડવાની એક સાધારણ રણનીતિ અપનાવી શકાય નહીં.
બેઠકમાં રાહુલ ગાંધી સહિત તમામ દળના સાંસદ હાજર રહ્યા
વિદેશ મંત્રીની હાજરીમાં રાહુલ ગાંધીએ સવાલ કર્યા
અમેરિકા-ચીન પર રણનીતિ અંગે સવાલ કર્યા
અમેરિકા-ચીન વચ્ચે વહેંચાયેલી દુનિયામાં ભારતનું સ્ટેન્ડ શું છે?: રાહુલ ગાંધી
સરકાર જણાવે કે ભારતની ગ્લોબલ રણનીતિ શું છે?: રાહુલ ગાંધી
ભારતે એક ગ્લોબલ રણનીતિ બનાવાની જરૂર છે. રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ ચીન અને પાકિસ્તાનના ગઠજોડને લઇને પણ ચિંતા વ્યક્ત કરી
રાહુલ ગાંધીના સવાલ પર વિદેશ મંત્રી એસ. જયશંકરે આપ્યો જવાબ
''વિશ્વ મલ્ટીપોલર વર્લ્ડ તરફ વધી રહી છે તેવામાં ચીન મજબૂત નહીં થાય''
જયશંકરે આપ્યા આ જવાબ
રાહુલ ગાંધીએ જયશંકરને પૂછ્યું કે શું તમારા મનમાં કોઈ સ્પષ્ રણનીતિ છે જેને તમે 3 વાક્યમાં કહી શકો. ચીનની રણનીતિ સમુદ્રથી જમીન સુધી જવાની છે જે જૂના સિલ્ક રૂટને યૂરોપથી જોડવા ઈચ્છે છે અને ભારતને કિનારે કરીને સીપીઈસીની મદદથી ખાડી સુધી પહોંચાડવા ઈચ્છે છે. ભારત તેનો મુકાબલો કરવા માટે શું કરે. આ જવાબમાં જયશંકરે કહ્યું કે ભારત, જાપાન અને રશિયાને કિનારે કરી શકાય નહીં. તેમની તાકાત પણ સતત વધી રહી છે. તેમાં મલ્ટી પોલર દુનિયાને વિશે વિચારવું પડશે.
Record three and a half hour meeting of the Parliamentary ConsultativeCommittee on ExternalAffairs began at 11.30 &just concluded. A wide-ranging, stimulating&candid discussion between EAM @DrSJaishankar & the dozen MPs who attended. We need more such interactions w/GOI! pic.twitter.com/kE0AutA8ZZ
આ ચર્ચામાં રાહુલે કહ્યું કે યૂપીએ સરકારના સમયે આપણી વિદેશનીતિ વધુ સારી હતી. તો જયશંકરે કહ્યું કે પડોશીની સાથેના સંબંધોમાં છેલ્લા 6 વર્ષમાં નાટકીય રૂપે સુધાર થયો છે. આ માટે તેઓએ ખાડી દેશોની સાથે સંબંધ, યૂપીએના વર્ષમાં ભારતીય સમુદાય અને ઉર્જાથી સંબંધિત લેનદેન સુધી સીમિત હતા. મોદી સરકારના સંબંધોની સાથે મોદી સરકારના આધારે સંબંધોને લઈને એક અલગ છબિ બની છે.
થરૂરે બેઠકને ગણાવી મહત્વની
બેઠકનો એક ફોટો શશિ થરૂરે ટ્વિટર પર શેર કર્યો છે. તેઓએ લખ્યું કે વિદેશ મામલે સંસદીય સલાહકાર સમિતિની સાડા 3 કલાકની બેઠક 11.30 વાગે શરૂ થઈ હતી અને સાથે ખતમ થઈ. વિદેશમંત્રી ડો. એસ જયશંકર અને લગભગ એક ડઝન સાંસદની વચ્ચે એક વિસ્તૃત, ઉત્સાહજનક અને સ્પશ્ટ ચર્ચા છે. અમે સરકારની સાથે આ પ્રકારની વાતચીત કરવાની જરૂર છે.