ચૂંટણી આયોગે બુધવારે ચાર વિધાનસભા ક્ષેત્રો અને એક સંસદીય ક્ષેત્રમાં પેટાચૂંટણીની તારીખોની ઘોષણા કરી પરંતુ વાયનાડ સીટનું નામ તેમા નથી.
ચૂંટણી આયોગે 5 પેટાચૂંટણી અંગે કર્યું એલાન
રાહુલની કેરળ વાયનાડ સીટનું નથી નામ
રાજીવ કુમારે કરી સ્પષ્ટતા
24 માર્ચનાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને મોદી સરનેમ પર ટિપ્પણી કર્યા હોવાને લીધએ માનહાનિનાં મામલામાં દોષીત જાહેર થયાં બાદ તેમને સંસદથી અયોગ્ય ઘોષિત કરવામાં આવ્યાં હતાં. જેના બાદથી કેરળનાં વાયનાડથી તેમની લોકસભા સીટ ખાલી થઈ ગઈ હતી. ચર્ચા ચાલી રહી હતી કે ચૂંટણી આયોગ ટૂંક સમયમાં પેટાચૂંટણી યોજી શકે છે. હાલમાં જ ચૂંટણી આયોગે બુધવારે ચાર વિધાનસભા ક્ષેત્રો અને એક સંસદીય ક્ષેત્રમાં પેટાચૂંટણીની તારીખોની ઘોષણા કરી પરંતુ વાયનાડ સીટનું નામ તેમા નથી.
We have six months' time to hold a by-election after a seat falls vacant. The trial court has given 30 days time for judicial remedy. So, we will wait: CEC Rajiv Kumar on Rahul Gandhi's Wayanad parliamentary seat pic.twitter.com/nZJluwU4IT
રાજીવ કુમારે કરી સ્પષ્ટતા
ચૂંટણી આયોગનાં કમિશ્નર રાજીવ કુમારે એક સમ્મેલનને સંબોધિત કરતાં કહ્યું કે 'સીટ ખાલી થયાં બાદ ચૂંટણીઓની ઘોષણા કરવા માટે 6 મહિનાનો સમય હોય છે. ટ્રાયલ કોર્ટે રાહુલ ગાંધીને 30 દિવસનો સમય આપ્યો છે, કોઈ ઊતાવળ નથી.' તેમણે કહ્યું કે કાયદો એવું પણ કહે છે કે જો કાર્યકાળનો શેષ સમયગાળો એકવર્ષથી પણ ઓછો હોય છે તો ચૂંટણી થશે નહીં. જો કે વાયનાડ માટે કાર્યકાળ એકવર્ષથી વધારેનો છે.
6 મહિનાની અંદર યોજી શકાય પેટાચૂંટણી
રાહુલ ગાંધી પર માનહાનિ મામલામાં ભારતીય દંડ સંહિતાની કલમ 499 અને 500ની અંતર્ગત દોષીત જાહેર કરતાં મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ એચ.એચ.વર્માની કોર્ટે જામીન આપી હતી અને સજાને 30 દિવસ માટે સસ્પેન્ડ કરી હતી.જેના લીધે તેમને લોકસભાથી અયોગ્ય ઠેરવવામાં આવ્યાં અને સીટ ખાલી થઈ. તો જનપ્રતિનિધિત્વ અધિનિયમ,1951ની કલમ 151Aમાં કહેવામાં આવ્યું છે કે આવી પરિસ્થિતિમાં કોઈપણ ખાલી સીટને ભરવા માટે પેટાચૂંટણી સીટ ખાલી થયાની તારીખથી 6 મહિનાનાં સમયગાળાની અંદર આયોજિત કરી શકાય છે.