અરવલ્લીના ખંભીસરમાં વરઘોડો રોકાતા માહોલ તંગ બન્યો હતો. અનુસૂચિત જાતિનો વરઘોડો નિકળ્યો હતો. જ્યારે બીજી તરફ અન્ય સમાજનો યજ્ઞ ચાલી રહ્યો હતો. એવામાં બન્ને વચ્ચે તકરાર થઈ હતી.
યજ્ઞ ચાલી રહ્યો હતો તે જ રસ્તે વરઘોડો નિકળ્યો જેને લઈને વાતાવરણ તંગ બન્યું હતું. જો કે,પરિસ્થિતિ વણસે નહીં તે માટે પોલીસ દ્વારા વરઘોડાને ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. તેમ છતાં બન્ને સમુદાયો વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું હતુ.
જેને લઈને જિલ્લા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે સ્થાનિક ગ્રામજનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેમ છતા ગામમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી હતી.
બન્ને પક્ષે પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેને લઈને સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો. તો બીજી કરફ વિફરેલા ટોળાઓએ 5 વાહનોમાં તોડફોડ કરી હતી. 2 પોલીસ વાહનો સહિત કુલ 5 વાહનોમાં તોડફોડ થઈ હતી. જેમાં DySP સહિત 5 લોકોને ઈજા પહોંચી હતી.